Friday, February 6, 2026

અમદાવાદીઓ નંબર નોંધી લો : વરસાદમાં પાણી ભરાય, ઝાડ પડે કે રોડ બેસી જાય તો વોટ્સએપ નંબર ઉપર AMCને ફરિયાદ કરો

spot_img
Share

અમદાવાદ : આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી AMC તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે મોનસુન કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ભારેથી અતિભારે વરસાદ પવન ના કારણે શહેરમાં પાણી ભરાવવાથી લઈ ઝાડ પડવા સહિતની સમસ્યાઓમાં નાગરિકોને પડતી હાલાકી અને સમસ્યાનો ત્વરિત નિકાલ થાય તેના માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. AMCના મોનસુન કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર 9978355303 પર ફરિયાદો નોંધાવી શકશે.

AMC દ્વારા ચોમાસાની સીઝનમાં ભારે કે અતિ ભારે વરસાદ કે ભારે પવન તેમજ વાવાઝોડા સાથે વરસતા વરસાદના સંજોગોમાં ઝાડ પડવાના, ભુવા પડવાના બ્રેક ડાઉન થવાના, રસ્તા બેસી જવાના, ભયજનક મકાનો પડી જવા, નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવા જેવી સમસ્યાઓના નિરાકરણ માટે મુખ્ય કંટ્રોલ સહિત જુદા જુદા ઝોનમાં ઈજનેર, એસ.ટી.પી., બગીચા ખાતા તેમજ ફાયર બ્રિગેડ સહિત કુલ 25 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.સમગ્ર શહેરમાં ચોમાસાને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદોના નિકાલ માટેની સંકલનની 24 કલાક ખડેપગે કામગીરી હાથ ધરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ચોમાસા દરમ્યાન નિચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે એસ.ટી.પી. ખાતેથી નારીકેટ કેનાલ ઉપર બનાવવામાં આવેલ જુદા જુદા સમ્પ ઉપર પંપો તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પંપીંગ સ્ટેશનોમાં, જુદા જુદા અન્ડર પાસમાં પંપો તેમજ વર્કશોપ ખાતાના નાના મોટા પંપો દ્વારા વરસાદી પાણીનાં નિકાલ માટે તૈયાર રાખવામાં આવ્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ લો પ્રેશરના કારણે વહેલી ઉદ્ભવેલ વરસાદી પરિસ્થિતને પહોંચી વળવા 27 મેથી સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે મોનસૂન કંટ્રોલ રૂમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...