Saturday, January 31, 2026

ઇસ્કોનબ્રિજ પર 9ને કચડનાર તથ્ય જેલમાં, પણ જેગુઆર કારને ‘જામીન’, 1 કરોડના બોન્ડ ભરવાની શરત

spot_img
Share

અમદાવાદ: ઇસ્કોન અકસ્માતમાં કેસમાં એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ઈસ્કોન ઓવરબ્રિજ પર બનેલી ઘટનામાં તથ્ય પટેલ ભલે જેલમાં બંધ હોય, પરંતુ 9 લોકોની જિંદગી ઉજાડી નાંખનાર જેગુઆરને જામીન મળી ગયા છે. ઇસ્કોન અકસ્માતમાં કેસમાં જેગુઆર કાર તેના મૂળ માલિકને પરત મળશે. જેગુઆર કારના મૂળ માલિક ક્રિશ વારિયાને તેમની કાર પરત મળશે. ગ્રામ્ય કોર્ટે પોલીસને આ કેસમાં મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.

અમદાવાદ ઇસ્કોન અકસ્માતમાં કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સર્જનાર જેગુઆર કાર માલિકને પરત મળશે. જેગુઆર કારના મૂળ માલિક ક્રિશ વારિયાને કાર પરત મળશે. ગ્રામ્ય કોર્ટે પોલીસને કાર પરત કરવાના આદેશ કર્યા છે. જેગુઆર કારની ટક્કરથી 9 વ્યક્તિના મૃત્યુ થયા હતા. અકસ્માતમાં જેગુઆર કાર ડેમેજ થયાની કોર્ટમાં માલિકની રજુઆત હતી.જેગુઆર કાર એસજી હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશન-2માં રખાઈ હતી. મિત્રતામાં ક્રિસ વાલિયાએ આરોપી તથ્યના પિતા પ્રગ્નેશ પટેલને કાર આપી હતી. એક 1 કરોડના બોન્ડ પર જેગુઆર કાર તેના મૂળ માલિકને સોંપાશે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોંઘા બોન્ડ પર કોર્ટે હુકમ કર્યો છે. ગમે તે સમયે પુરાવા સ્વરૂપે હાજર કરવાની શરતે કાર સોંપાશે.

કોર્ટે નોંધ્યું હતું કે ગાડી લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં છે. ગાડીને નુકસાનની શક્યતા છે, આથી Crpcની કલમ 451 નીચે ગાડી અરજદારને આપવી જોઈએ, પણ જરૂર પડે ગાડી તપાસ અર્થે ઓથોરિટી સમક્ષ હાજર કરવી પડશે. ગાડી અત્યારે એસ.જી. હાઇવે 02 ટ્રાફિક-પોલીસ મથકે પડી છે. ઉપરાંત અરજદારે 1 કરોડ રૂપિયાના વ્યક્તિગત અને સિક્યોરિટી બોન્ડ કોર્ટમાં ભરવા પડશે. કોર્ટની પરવાનગી વગર અરજદાર ગાડી કોઈને વેચી કે આપી શકશે નહિ. તપાસ અધિકારી ગાડી આપતી વખતે પંચનામું કરશે, ઉપરાંત ગાડીના ચારેય બાજુથી ફોટા પાડશે.

મહત્વનું છે કે ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોંઘા બોન્ડ પર કોર્ટે હુકમ કર્યો છે. આ સાથે કોર્ટે ગમે તે સમયે કાર પુરાવા રૂપે હાજર કરવાની શરતે કાર માલિકને કાર સોંપવા કોર્ટે આદેશ કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...