Thursday, January 15, 2026

વિસનગરની આ હોસ્પિટલનો અનોખો સેવાયજ્ઞ, 1 મહિનો વિનામૂલ્યે સારવાર અપાશે

spot_img
Share

વિસનગર : વર્તમાન સમયમાં આટલી મોંઘવારીમાં હોસ્પિટલમાં સારવારનો ખર્ચ સામાન્ય માણસ પરવડે નહી. હોસ્પિટલનાં ખર્ચથી લોકો થાકી જાય છે. હોસ્પિટલનાં મોટા બીલ લોકોનાં ખીસ્સા ખાલી કરી નાખે છે. ત્યારે મહેસાણા જિલ્લાની વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન કોઈપણ રોગના દર્દીને નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે તપાસ- નિદાન અને અન્ય સેવાઓ ખૂબ જ રાહત દરે આપવાનું આયોજન કરાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સ્થાપક, સ્વાતંત્ર સેનાની અને સામાજિક કાર્યકર સ્વ. સાંકળચંદ પટેલ (દાદા)ની પૂણ્યતીથિ નિમિત્તે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન કોઈપણ રોગના દર્દીને નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે તપાસ- નિદાન અને અન્ય સેવાઓ ખૂબ જ રાહત દરે આપવાનું સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ સહિત ટ્રસ્ટીગણે આયોજન કર્યું છે.

સ્વ.સાંકળચંદ દાદાની પૂણ્યતિથિ નિમિત્તે વિસનગરની નૂતન હોસ્પિટલમાં સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન કોઈપણ રોગના દર્દીને નિષ્ણાંત ડોક્ટર દ્વારા વિનામૂલ્યે તપાસ અને નિદાન કરાશે. એક્સરે, કાર્ડિયોગ્રામ (ઇસીજી) નિયત કરેલ બ્લડ રિપોર્ટ, ડાયાબીટિસ માટે આરબીએસ, કિડની માટે એસ.ક્રેટીને, લીવર માટે એસજીપીટી સહિત રિપોર્ટ વિનામૂલ્યે થશે.

આ ઉપરાંત દર્દીને દાખલ થાય તો રહેવાની તેમજ જવાની તેમજ જેનરિક દવા મફત આપવામાં આવશે. મોતિયાના સાદા ઓપરેશન, ડિલિવરી, નાક, કાન અને ગળા તેમજ હાડકાના કે અન્ય પ્રકારના ઓપરેશન વિના મૂલ્યે થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...