Thursday, January 15, 2026

દિવાળી પર્વ પર અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાનો શણગારનો અલૌકિક નજારો, આ તારીખ સુધી નજારો માણી શકશે

spot_img
Share

ગાંધીનગર : દીવાળીના પર્વની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની અયોધ્યા નગરી 24 લાખ દિવડાઓથી ઝળહળી ઉઠી હતી. ત્યારે ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાઓથી શણગાર કરવામાં આવ્યો હતો. આ અદભુત શણગારને નિહાળી સૌ કોઈ લોકો અભિભુત થઈ ગયા હતા. ગાંધીનગર ખાતે છેલ્લા 32 વર્ષથી દીપોત્સવ થાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના અક્ષરધામ મંદિર ખાતે આજે દસ હજાર જેટલા દીવડાઓથી દિવાળીની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. અક્ષરધામ મંદિર પરિસરમાં સુંદર લાઈટિંગનો નજારો મનમોહક જોવા મળી રહ્યો છે. તો એકસાથે પ્રગટાવેલા 10,000 દીવડાનો અલૌકિક નજારો જોવા મોટી સંખ્યામાં હરિભક્તો પરિવાર સાથે પહોંચ્યા છે. 1992માં ગાંધીનગર ખાતે તૈયાર થયેલ અક્ષરધામ મંદિરમાં દર દિવાળીના તહેવારો દરમિયાન 10,000 જેટલા દીવડા કરવામાં આવે છે . ત્યારે સતત 32 વર્ષથી આ પરંપરા અક્ષરધામ મંદિરમાં ચાલતી આવી છે, અને આ વર્ષે પણ 10,000થી વધુ દીવડા અને અક્ષરધામ મંદિરના ગાર્ડનને પણ ગ્લો ગાર્ડન તરીકેની થીમ સાથે લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે.

અક્ષરધામ મંદિર દર સોમવારે વહીવટી કારણોસર બંધ રાખવામાં આવે છે, પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને અક્ષરધામ મંદિર સોમવારે પણ કાર્યરત રાખવામાં આવશે અને અક્ષરધામ મંદિરના તમામ વિભાગો કાર્યાલયો અને મંદિર દર્શન માટે ખુલ્લું રખાશે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ જિલ્લાના આસપાસના હજારોની સંખ્યામાં દિવાળીના તહેવાર દરમિયાન દર્શન માટે આવતા હોય છે, ત્યારે 11 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી દર્શનાર્થીઓને 10000 દીવડાનો અને ગ્લો ગાર્ડનનો નયનરમ્ય નજારો માણી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...