Tuesday, July 14, 2026

દિવાળી પર્વ પર અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાનો શણગારનો અલૌકિક નજારો, આ તારીખ સુધી નજારો માણી શકશે

spot_img
Share

ગાંધીનગર : દીવાળીના પર્વની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની અયોધ્યા નગરી 24 લાખ દિવડાઓથી ઝળહળી ઉઠી હતી. ત્યારે ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાઓથી શણગાર કરવામાં આવ્યો હતો. આ અદભુત શણગારને નિહાળી સૌ કોઈ લોકો અભિભુત થઈ ગયા હતા. ગાંધીનગર ખાતે છેલ્લા 32 વર્ષથી દીપોત્સવ થાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના અક્ષરધામ મંદિર ખાતે આજે દસ હજાર જેટલા દીવડાઓથી દિવાળીની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. અક્ષરધામ મંદિર પરિસરમાં સુંદર લાઈટિંગનો નજારો મનમોહક જોવા મળી રહ્યો છે. તો એકસાથે પ્રગટાવેલા 10,000 દીવડાનો અલૌકિક નજારો જોવા મોટી સંખ્યામાં હરિભક્તો પરિવાર સાથે પહોંચ્યા છે. 1992માં ગાંધીનગર ખાતે તૈયાર થયેલ અક્ષરધામ મંદિરમાં દર દિવાળીના તહેવારો દરમિયાન 10,000 જેટલા દીવડા કરવામાં આવે છે . ત્યારે સતત 32 વર્ષથી આ પરંપરા અક્ષરધામ મંદિરમાં ચાલતી આવી છે, અને આ વર્ષે પણ 10,000થી વધુ દીવડા અને અક્ષરધામ મંદિરના ગાર્ડનને પણ ગ્લો ગાર્ડન તરીકેની થીમ સાથે લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે.

અક્ષરધામ મંદિર દર સોમવારે વહીવટી કારણોસર બંધ રાખવામાં આવે છે, પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને અક્ષરધામ મંદિર સોમવારે પણ કાર્યરત રાખવામાં આવશે અને અક્ષરધામ મંદિરના તમામ વિભાગો કાર્યાલયો અને મંદિર દર્શન માટે ખુલ્લું રખાશે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ જિલ્લાના આસપાસના હજારોની સંખ્યામાં દિવાળીના તહેવાર દરમિયાન દર્શન માટે આવતા હોય છે, ત્યારે 11 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી દર્શનાર્થીઓને 10000 દીવડાનો અને ગ્લો ગાર્ડનનો નયનરમ્ય નજારો માણી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...