Monday, March 2, 2026

દિવાળી પર્વ પર અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાનો શણગારનો અલૌકિક નજારો, આ તારીખ સુધી નજારો માણી શકશે

spot_img
Share

ગાંધીનગર : દીવાળીના પર્વની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની અયોધ્યા નગરી 24 લાખ દિવડાઓથી ઝળહળી ઉઠી હતી. ત્યારે ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાઓથી શણગાર કરવામાં આવ્યો હતો. આ અદભુત શણગારને નિહાળી સૌ કોઈ લોકો અભિભુત થઈ ગયા હતા. ગાંધીનગર ખાતે છેલ્લા 32 વર્ષથી દીપોત્સવ થાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના અક્ષરધામ મંદિર ખાતે આજે દસ હજાર જેટલા દીવડાઓથી દિવાળીની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. અક્ષરધામ મંદિર પરિસરમાં સુંદર લાઈટિંગનો નજારો મનમોહક જોવા મળી રહ્યો છે. તો એકસાથે પ્રગટાવેલા 10,000 દીવડાનો અલૌકિક નજારો જોવા મોટી સંખ્યામાં હરિભક્તો પરિવાર સાથે પહોંચ્યા છે. 1992માં ગાંધીનગર ખાતે તૈયાર થયેલ અક્ષરધામ મંદિરમાં દર દિવાળીના તહેવારો દરમિયાન 10,000 જેટલા દીવડા કરવામાં આવે છે . ત્યારે સતત 32 વર્ષથી આ પરંપરા અક્ષરધામ મંદિરમાં ચાલતી આવી છે, અને આ વર્ષે પણ 10,000થી વધુ દીવડા અને અક્ષરધામ મંદિરના ગાર્ડનને પણ ગ્લો ગાર્ડન તરીકેની થીમ સાથે લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે.

અક્ષરધામ મંદિર દર સોમવારે વહીવટી કારણોસર બંધ રાખવામાં આવે છે, પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને અક્ષરધામ મંદિર સોમવારે પણ કાર્યરત રાખવામાં આવશે અને અક્ષરધામ મંદિરના તમામ વિભાગો કાર્યાલયો અને મંદિર દર્શન માટે ખુલ્લું રખાશે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ જિલ્લાના આસપાસના હજારોની સંખ્યામાં દિવાળીના તહેવાર દરમિયાન દર્શન માટે આવતા હોય છે, ત્યારે 11 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી દર્શનાર્થીઓને 10000 દીવડાનો અને ગ્લો ગાર્ડનનો નયનરમ્ય નજારો માણી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...