Monday, November 10, 2025

દિવાળી પર્વ પર અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાનો શણગારનો અલૌકિક નજારો, આ તારીખ સુધી નજારો માણી શકશે

spot_img
Share

ગાંધીનગર : દીવાળીના પર્વની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની અયોધ્યા નગરી 24 લાખ દિવડાઓથી ઝળહળી ઉઠી હતી. ત્યારે ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાઓથી શણગાર કરવામાં આવ્યો હતો. આ અદભુત શણગારને નિહાળી સૌ કોઈ લોકો અભિભુત થઈ ગયા હતા. ગાંધીનગર ખાતે છેલ્લા 32 વર્ષથી દીપોત્સવ થાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના અક્ષરધામ મંદિર ખાતે આજે દસ હજાર જેટલા દીવડાઓથી દિવાળીની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. અક્ષરધામ મંદિર પરિસરમાં સુંદર લાઈટિંગનો નજારો મનમોહક જોવા મળી રહ્યો છે. તો એકસાથે પ્રગટાવેલા 10,000 દીવડાનો અલૌકિક નજારો જોવા મોટી સંખ્યામાં હરિભક્તો પરિવાર સાથે પહોંચ્યા છે. 1992માં ગાંધીનગર ખાતે તૈયાર થયેલ અક્ષરધામ મંદિરમાં દર દિવાળીના તહેવારો દરમિયાન 10,000 જેટલા દીવડા કરવામાં આવે છે . ત્યારે સતત 32 વર્ષથી આ પરંપરા અક્ષરધામ મંદિરમાં ચાલતી આવી છે, અને આ વર્ષે પણ 10,000થી વધુ દીવડા અને અક્ષરધામ મંદિરના ગાર્ડનને પણ ગ્લો ગાર્ડન તરીકેની થીમ સાથે લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે.

અક્ષરધામ મંદિર દર સોમવારે વહીવટી કારણોસર બંધ રાખવામાં આવે છે, પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને અક્ષરધામ મંદિર સોમવારે પણ કાર્યરત રાખવામાં આવશે અને અક્ષરધામ મંદિરના તમામ વિભાગો કાર્યાલયો અને મંદિર દર્શન માટે ખુલ્લું રખાશે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ જિલ્લાના આસપાસના હજારોની સંખ્યામાં દિવાળીના તહેવાર દરમિયાન દર્શન માટે આવતા હોય છે, ત્યારે 11 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી દર્શનાર્થીઓને 10000 દીવડાનો અને ગ્લો ગાર્ડનનો નયનરમ્ય નજારો માણી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...