Tuesday, September 16, 2025

અમદાવાદમાં મેહુલ બોઘરાનો જબરદસ્ત અંદાજ, ટ્રાફિક પોલીસને આ રીતે ભણાવ્યો કાયદાનો પાઠ

Share

Share

અમદાવાદ : સુરતમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓના તોડનો અનેકવાર ભેદ ખોલનાર એડવોકેટ મેહુલ બોઘરા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે સુરત નહીં પરંતુ અમદાવાદમાં ટ્રાફિક પોલીસને મેહુલ બોઘરાએ ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું હતું અને ભૂલ સુધાર્યા બાદ જ ટ્રાફિક ક્રેનને જવા દીધી હતી. હકીકતમાં નિકોલ વિસ્તારમાં ટ્રાફિક ક્રેન ઓવરલોડિંગમાં જઈ રહી હતી, જેને લઈને એડવોકેટ મેહુલ બોઘરાએ ક્રેનને અટકાવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ એડવોકેટ મેહુલ બોઘરા અમદાવાદના નિકોલ વિસ્તારમાં કુંજ મોલ ખાતે હતા. અહીં નો પાર્કિંગમાં ટુ-વ્હીલર પાર્ક કરેલા હોવાથી ટ્રાફિક ક્રેન તેને ટો કરવા આવી હતી. જોકે લોકોને દંડ કરતા ટ્રાફિક વિભાગની ક્રેન જ ઓવરલોડિંગ હતી. ક્રેનની 6 ટુવ્હીલરની કેપેસિટી સામે તેમાં 13થી 14 જેટલા ટુ-વ્હીલર જોખમી રીતે ચડાવી દેવામાં આવ્યા હતા. જેને લઈને મેહુલ બોઘરાએ ક્રેનને અટકાવી હતી અને પોલીસને નિયમ મુજબ 1000 રૂપિયાનો દંડ ભરવા કહ્યું હતું.

આ બાદ તેમણે ટ્રાફિક વિભાગમાં ફોન કરીને આ અંગે ફરિયાદ કરી હતી. આ બાદ DCP સફિન હસનની ઓફિસમાં પણ ફોન કરીને ફરિયાદ કરી હતી. જોકે ત્યાંથી જવાબ મળ્યો કે વાહન ઓવરલોડિંગ હોય તો બાઈકને ઘરે થોડા લઈ જાય. સમગ્ર ઘટના તેમણે ફેસબુકમાં લાઈવ કરી હતી. જે બાદ આખરે ટ્રાફિક પોલીસને પોતાની ભૂલ સમજાઈ અને વધારાના વાહનો નીચે ઉતારી નાખ્યા હતા.મેહુલ બોઘરાએ લોકોને અપીલ કરી હતી કે, અમ સમગ્ર અમદાવાદની અન્ય જગ્યાઓ પણ આવી જ રીતે ટ્રાફિક ક્રેન ઓવરલોડિંગમાં ચાલતી હોય છે. અમદાવાદની જનતાએ CMVR-93, MV ACT-194(1A) મુજબ વિરોધ ઉઠાવો જોઈએ અને DCP ટ્રાફિકમાં ફરિયાદ કરવી જોઈએ.

સુરતના યોગી ચોકમાં રહેતા વકીલ મેહુલ ભાઈ બોઘરાએ બી.કોમ. કર્યા બાદ વડોદરામાંથી LLB કરીને સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે. જોકે તેમણે છેલ્લા બે વર્ષથી પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે બંડ પોકાર્યું છે અને અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ થતાં કાયદાના ભંગને સોશિયલ મીડિયામાં જાહેર કરવાનું કામ શરૂ કર્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...