Tuesday, October 14, 2025

હાઉસીંગ રિડેવલપમેન્ટને લઈને નાગરિક સેવા સંગઠન મેદાનમાં…!!

Share

અમદાવાદ : શહેરના નારણપુરા, સોલા અને નવા વાડજ વિસ્તારમાં અનેક હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલમેન્ટની ચર્ચા મોખરે છે.જર્જરીત બાંધકામને લઈને હાઉસીંગના રહીશો પણ રિડેવલમેન્ટ ઈચ્છી રહ્યા છે. તો કયાંક વિરોધ પણ થઈ રહ્યો છે, હાઉસીંગ બોર્ડની પોલીસી અને કાર્યપ્રણાલીને લઈને હાઉસીંગ રહીશોનું બનેલું નાગરિક સેવા સંગઠન મેદાનમાં આવ્યું છે.આ સંગઠનની મુખ્ય માગણીઓ હાઉસીંગ બોર્ડ લીઝડીડને લઈને છે,જેમાં રિડેવલપમેન્ટમાં બિલ્ડર લાવવાની સત્તા એસોસિયેશન મળે, આ ઉપરાંત સરકારની રિડેવલપમેન્ટ પોલીસીમાં મૂળ બાંધકામ 40 ટકા વધુ બાંધકામની જોગવાઈ છે, આમાં સંગઠન 60 થી 70 ટકા વધુ મોટું બાંધકામ મળે તેવી માગણી કરી રહ્યા છે, જયારે અન્ય સૌથી અગત્યની માંગણી એ છે કે દરેક ગીફટ મની મળવી જોઈએ.

નાગરિક સેવા સંગઠનના અગ્રણી વિનોદભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ ,નાગરિક સેવા સંગઠન ક્યારેય રિડેવલપમેન્ટના વિરુદ્ધમાં નથી પરંતુ રિડેવલપમેન્ટમાં રહીશોને જે અન્યાય થઇ રહેલ છે એનો વિરોધ જરુર કરે છે.આ સિવાય ગીફટ મની સહિતની અન્ય માંગણીઓને અમારુ સંગઠન તરફેણ કરે છે.આ સિવાય વિનોદભાઈ એ વધુમાં જણાવ્યુ છે કે,હાઉસિંગ બોર્ડે જ્યારે આપણને પહેલી વાર જ્યારે કન્વીયન્સ ડીડ કરેલુ ત્યારે પેરા 7-સી માં સ્પષ્ટ લખેલુ છે કે, એસોસિએશને લીઝડીડ કરાવી લેવી. લીઝડીડની ફી પણ આપણી પાસેથી લીધેલી છે. આ સિવાય જે સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં ત્રિપક્ષીય કરાર થયેલ છે એમાં ત્રીજા પક્ષ તરીકે બિલ્ડર હોય છે,એમના નિવેદનમાં સ્પષ્ટ લખેલ છે કે સોસાયટીની 99+99 વર્ષની લીઝડીડ કરેલ છે.આ બધા પુરાવાઓ સાબિત કરે છે કે,આપણે ૯૯ વર્ષના જમીનના માલિક કમ કબ્જેદાર છીએ. આ સિવાય આર.ટી.આઇના માધ્યમથી જે પુરાવાઓ એકત્ર કરેલ છે એ બધા એકઠા કરીને અમો નામદાર ગુજરાત હાઇકોર્ટમાં લીઝડીડ માટેની બે SCA દાખલ કરેલ છે.એની આગામી તારીખ 5 મી ફેબ્રુઆરી છે.

હજુ આગામી દિવસોમાં હાઇકોટમાં બીજી દસ જેટલી SCA લીઝડીડ માટે દાખલ કરવાનુ આયોજન છે.જો લીઝડીડ થઈ જાય તો બિલ્ડર લાવવાની પરવાનગી રહીશોને મળશે તેમજ રિડેવલપમેન્ટમાં જે હાઉસિંગ બોર્ડની કનડગત છે એનો અંત આવશે તથા રિડેવલપમેન્ટમાં દરેકને સારા અને મોટા ઘર મળશ.ે છેલ્લે વિનોદભાઈએ વધુમાં જણાવેલ કે,જેઓના મકાનો ખરાબ હાલતમાં હોય અથવા તો જર્જરીત હાલતમાં છે તેઓએ બાંધછોડ કરીને રિડેવલપમેન્ટમાં જોડાઇ જવું હિતાવહ છે.નાગરિક સેવા સંગઠન હંમેશા આ લોકોની સાથે જ છે.જો અન્યાય થશે તો અમારો તમામ પ્રકારનો સહયોગ એમની સાથે જ હશે એવી સંગઠન વતીથી બાંહેધરી આપી હતી.

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઉસીંગ બોર્ડને નોટિસ જારી કરી
ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બાંધવામાં આવેલા નિર્મલ એપાર્ટમેન્ટના સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ (GHB)ને નોટિસ જારી કરી છે.અમદાવાદ મિરરના રિપોર્ટ મુજબ અરજદારોએ દલીલ કરી છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડએ તેમની તરફેણમાં લીઝ ડીડ ડ્રો કરવી જોઈએ. જેથી તેઓ તેમની સોસાયટીના રિડેવલપમેન્ટ માટે બિલ્ડરને પોતાની રીતે પસંદ કરી શકે.
કેસની વિગતો મુજબ, નલિન પટેલ અને અન્ય સભ્યોએ અરજીમાં મુદ્દો ઉઠાવ્યો છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડ લગભગ ત્રણ દાયકા પહેલા તેના દ્વારા બાંધવામાં આવેલી સોસાયટીઓના રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરે છે.જો કે, તે સમયે ગુજરાત હાઉસીંગ બોર્ડએ સોસાયટીના સભ્યોની તરફેણમાં લીઝ ડીડ ડ્રો કરી હતી. જેથી જમીન પર તેમનો પણ હક છે.

“ગુજરાત હાઉસીંગ બોર્ડએ રિડેવલપમેન્ટની કવાયત હાથ ધરી છે અને કામ માટે બિલ્ડરોની પસંદગી કરી છે. રહેવાસીઓને બિલ્ડર અને રિડેવલમેન્ટના અન્ય પાસાઓ પસંદ કરવાનો અધિકાર નથી. જો ગુજરાત હાઉસીંગ બોર્ડ એપાર્ટમેન્ટ ધારકોની તરફેણમાં લીઝ ડીડ આપે છે, તો તેઓ સમગ્ર કવાયત પોતાની જાતે કરી શકે છે. ગુજરાત હાઉસીંગ બોર્ડને રિડેવલપમેન્ટ કરવાનો અધિકાર નથી,” નાગરિક અધિકાર સંગઠનના વિનોદ ચૌહાણે જણાવ્યું હતું કે જેઓ ગુજરાત હાઉસીંગ બોર્ડ ફ્લેટ માલિકોના અવાજની આગેવાની કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...