Monday, March 2, 2026

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉધોગપતિઓએ કયા રોકાણ કરવાની કરી જાહેરાત ?

spot_img
Share

ગાંધીનગર : PM Modi એ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં દેશ અને દુનિયાના તમામ મોટા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સમિટનાં પ્રથમ દિવસે જ રાજ્યને મોટી ભેટ મળી ગઈ છે. રિલાયંસ ચેરમેન અંબાણીથી લઈને અદાણી-ટાટા-સુઝુકી સહિતનાં મોટા દિગ્ગજોએ ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જાણો કોણે શું જાહેરાત કરી?

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની હજીરામાં ભારતનો પ્રથમ અને વૈશ્વિક સ્તરનો કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે. તેમણે કહ્યું, “રિલાયન્સે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં રૂ.12 લાખ કરોડ કરતાં વધુનું રોકાણ કર્યું છે. આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ એકલા ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે.” તેમણે કહ્યું કે રિલાયન્સ ગુજરાતને ગ્રીન એનર્જીમાં વૈશ્વિક લીડર બનાવવામાં યોગદાન આપશે.

મુકેશ અંબાણીએ કહ્યું, ‘રિલાયન્સે જામનગરમાં 5,000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. આનાથી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે અને ગુજરાતને ગ્રીન પ્રોડક્ટ્સનું મુખ્ય નિકાસકાર બનવામાં મદદ મળશે.

અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ સમિટમાં રાજ્યમાં મોટા રોકાણનું એલાન કર્યું છે. ચેરમેને કહ્યું કે તેમના પોર્ટથી પાવર ગ્રુપ ગુજરાતમાં આવનારાં 5 વર્ષોમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશએ. આ રોકાણ રાજ્યમાં 1 લાખ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ જોબ ક્રિએટ કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ અલગ-અલગ સેક્ટર્સમાં કરવામાં આવ્યું છે જેનાથી 25 હજાર નોકરીની તકો ઊભી થઈ છે.

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં અમે સાણંદમાં 20 GWs લિથિયમ-આયન બેટરી માટે એક વિશાળ ગીગા ફેક્ટરી શરૂ કરશે. ધોલેરામાં પણ પૂરઝડપે કામ ચાલે છે. તેમણે ધોલેરામાં સેમિકન્ડક્ટર શરૂ કરવાનું વચન આપ્યું હતું જે 2024માં શરૂ થઈ જશે. માર્ચ 2024માં આ પ્રોજેક્ટ શરૂ થશે

આર્સેલર મિત્તલ ગ્રુપનાં એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે કંપની 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે,આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 24 મિલિયન ટન હશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે મારુતિ સુઝુકી ગુજરાતમાં તેનો બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 10 લાખ યુનિટ હશે.

જેફરી ચુન, સીઈઓ, સિમ્મટેક, દક્ષિણ કોરિયાએ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાઓમાં મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે ગુજરાત રાજ્યમાં તેમના મુખ્ય ગ્રાહક માઇક્રોનના પ્રોજેક્ટને પગલે કો-લોકેશન રોકાણ તરીકે તેમના ભારત પ્રોજેક્ટ માટે આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદે કહ્યુ કે,”ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે, ત્રણ વર્ષમાં વધુ રોકાણ કરીશું, અમે કંડલા ખાતે 2 મિલિયન કન્ટેનરની ક્ષમતા સાથે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ બનાવીને ગુજરાતના અર્થતંત્રને ટેકો આપવાનું ચાલુ રાખીશું,”

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...