Thursday, January 15, 2026

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉધોગપતિઓએ કયા રોકાણ કરવાની કરી જાહેરાત ?

spot_img
Share

ગાંધીનગર : PM Modi એ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં દેશ અને દુનિયાના તમામ મોટા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સમિટનાં પ્રથમ દિવસે જ રાજ્યને મોટી ભેટ મળી ગઈ છે. રિલાયંસ ચેરમેન અંબાણીથી લઈને અદાણી-ટાટા-સુઝુકી સહિતનાં મોટા દિગ્ગજોએ ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જાણો કોણે શું જાહેરાત કરી?

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની હજીરામાં ભારતનો પ્રથમ અને વૈશ્વિક સ્તરનો કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે. તેમણે કહ્યું, “રિલાયન્સે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં રૂ.12 લાખ કરોડ કરતાં વધુનું રોકાણ કર્યું છે. આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ એકલા ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે.” તેમણે કહ્યું કે રિલાયન્સ ગુજરાતને ગ્રીન એનર્જીમાં વૈશ્વિક લીડર બનાવવામાં યોગદાન આપશે.

મુકેશ અંબાણીએ કહ્યું, ‘રિલાયન્સે જામનગરમાં 5,000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. આનાથી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે અને ગુજરાતને ગ્રીન પ્રોડક્ટ્સનું મુખ્ય નિકાસકાર બનવામાં મદદ મળશે.

અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ સમિટમાં રાજ્યમાં મોટા રોકાણનું એલાન કર્યું છે. ચેરમેને કહ્યું કે તેમના પોર્ટથી પાવર ગ્રુપ ગુજરાતમાં આવનારાં 5 વર્ષોમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશએ. આ રોકાણ રાજ્યમાં 1 લાખ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ જોબ ક્રિએટ કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ અલગ-અલગ સેક્ટર્સમાં કરવામાં આવ્યું છે જેનાથી 25 હજાર નોકરીની તકો ઊભી થઈ છે.

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં અમે સાણંદમાં 20 GWs લિથિયમ-આયન બેટરી માટે એક વિશાળ ગીગા ફેક્ટરી શરૂ કરશે. ધોલેરામાં પણ પૂરઝડપે કામ ચાલે છે. તેમણે ધોલેરામાં સેમિકન્ડક્ટર શરૂ કરવાનું વચન આપ્યું હતું જે 2024માં શરૂ થઈ જશે. માર્ચ 2024માં આ પ્રોજેક્ટ શરૂ થશે

આર્સેલર મિત્તલ ગ્રુપનાં એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે કંપની 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે,આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 24 મિલિયન ટન હશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે મારુતિ સુઝુકી ગુજરાતમાં તેનો બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 10 લાખ યુનિટ હશે.

જેફરી ચુન, સીઈઓ, સિમ્મટેક, દક્ષિણ કોરિયાએ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાઓમાં મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે ગુજરાત રાજ્યમાં તેમના મુખ્ય ગ્રાહક માઇક્રોનના પ્રોજેક્ટને પગલે કો-લોકેશન રોકાણ તરીકે તેમના ભારત પ્રોજેક્ટ માટે આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદે કહ્યુ કે,”ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે, ત્રણ વર્ષમાં વધુ રોકાણ કરીશું, અમે કંડલા ખાતે 2 મિલિયન કન્ટેનરની ક્ષમતા સાથે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ બનાવીને ગુજરાતના અર્થતંત્રને ટેકો આપવાનું ચાલુ રાખીશું,”

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...