Monday, November 10, 2025

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉધોગપતિઓએ કયા રોકાણ કરવાની કરી જાહેરાત ?

spot_img
Share

ગાંધીનગર : PM Modi એ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં દેશ અને દુનિયાના તમામ મોટા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સમિટનાં પ્રથમ દિવસે જ રાજ્યને મોટી ભેટ મળી ગઈ છે. રિલાયંસ ચેરમેન અંબાણીથી લઈને અદાણી-ટાટા-સુઝુકી સહિતનાં મોટા દિગ્ગજોએ ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જાણો કોણે શું જાહેરાત કરી?

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની હજીરામાં ભારતનો પ્રથમ અને વૈશ્વિક સ્તરનો કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે. તેમણે કહ્યું, “રિલાયન્સે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં રૂ.12 લાખ કરોડ કરતાં વધુનું રોકાણ કર્યું છે. આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ એકલા ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે.” તેમણે કહ્યું કે રિલાયન્સ ગુજરાતને ગ્રીન એનર્જીમાં વૈશ્વિક લીડર બનાવવામાં યોગદાન આપશે.

મુકેશ અંબાણીએ કહ્યું, ‘રિલાયન્સે જામનગરમાં 5,000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. આનાથી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે અને ગુજરાતને ગ્રીન પ્રોડક્ટ્સનું મુખ્ય નિકાસકાર બનવામાં મદદ મળશે.

અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ સમિટમાં રાજ્યમાં મોટા રોકાણનું એલાન કર્યું છે. ચેરમેને કહ્યું કે તેમના પોર્ટથી પાવર ગ્રુપ ગુજરાતમાં આવનારાં 5 વર્ષોમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશએ. આ રોકાણ રાજ્યમાં 1 લાખ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ જોબ ક્રિએટ કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ અલગ-અલગ સેક્ટર્સમાં કરવામાં આવ્યું છે જેનાથી 25 હજાર નોકરીની તકો ઊભી થઈ છે.

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં અમે સાણંદમાં 20 GWs લિથિયમ-આયન બેટરી માટે એક વિશાળ ગીગા ફેક્ટરી શરૂ કરશે. ધોલેરામાં પણ પૂરઝડપે કામ ચાલે છે. તેમણે ધોલેરામાં સેમિકન્ડક્ટર શરૂ કરવાનું વચન આપ્યું હતું જે 2024માં શરૂ થઈ જશે. માર્ચ 2024માં આ પ્રોજેક્ટ શરૂ થશે

આર્સેલર મિત્તલ ગ્રુપનાં એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે કંપની 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે,આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 24 મિલિયન ટન હશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે મારુતિ સુઝુકી ગુજરાતમાં તેનો બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 10 લાખ યુનિટ હશે.

જેફરી ચુન, સીઈઓ, સિમ્મટેક, દક્ષિણ કોરિયાએ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાઓમાં મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે ગુજરાત રાજ્યમાં તેમના મુખ્ય ગ્રાહક માઇક્રોનના પ્રોજેક્ટને પગલે કો-લોકેશન રોકાણ તરીકે તેમના ભારત પ્રોજેક્ટ માટે આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદે કહ્યુ કે,”ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે, ત્રણ વર્ષમાં વધુ રોકાણ કરીશું, અમે કંડલા ખાતે 2 મિલિયન કન્ટેનરની ક્ષમતા સાથે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ બનાવીને ગુજરાતના અર્થતંત્રને ટેકો આપવાનું ચાલુ રાખીશું,”

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...