Saturday, November 8, 2025

અમદાવાદમાં પાસપોર્ટ સેવા માટે હરતીફરતી વાન, લોકોને ઘર આંગણે સુવિધા મળશે

spot_img
Share

અમદાવાદ : આજકાલ દેશમાં ડિજિટલ ઈન્ડિયા યોજનાને જોતા સરકારે દરેક વસ્તુ ડિજિટલ કરી દીધી છે. પરંતુ હવે ઘરે બેસીને પાસપોર્ટ આરામથી કાઢી શકશો. આજકાલ કોઈપણ કામ માટે 10 વખત પાસપોર્ટ ઓફિસના ચક્કર કાપવા પડે છે. અમદાવાદમાં ટૂંક સમયમાં હરતીફરતી વાનમાં મળશે પાસપોર્ટની સર્વિસ. તેના લીધે પાસપોર્ટ ઓફિસના વારંવારના ધક્કા ખાવા નહી પડે. આ સર્વિસના લીધે ખાસ કરીને વૃદ્ધોને રાહત થશે. વિદેશ મંત્રાલય તરફથી ટૂંક સમયમાં પાસપોર્ટ સર્વિસ શરૂ થશે.

આ હરતીફરતી વાન પાસપોર્ટની જેમ જ સગવડ આપશે. વાનમાં પાસપોર્ટ ઓફિસની જેમ જ દસ્તાવેજ સ્કેન કરી ફિંગર પ્રિન્ટ અને ફોટો લેવામાં આવશે. તેમા કેટલી એપોઇન્ટમેન્ટ લેવી, કેટલી વાન અમદાવાદને મળશે તેને લઈને આગામી સમયમાં પોલિસી બનશે એટલે તેના મેપિંગના આધારે ખબર પડશે. પાસપોર્ટ વાનમાં એક અનુભવી કર્મચારી અને એક ટીસીએસ હાજર રહેશે. ફાઇલ પાસપોર્ટ ઓફિસના ગ્રાન્ટિંગ ઓફિસર મંજૂર કરશે. આમ પાસપોર્ટ માટેની જે મોટાભાગની પ્રક્રિયા ઓફિસમાં જઈને કરવામાં આવે છે તે પ્રક્રિયા મુખ્યત્વે પાસપોર્ટ વાનમાં જ પૂરી થઈ જશે. ઓફિસે ખાલી અંતિમ સહી અને મંજૂરી માટે જવું પડશે.

અમદાવાદમાં પહેલી વખત જ હરતીફરતી પાસપોર્ટ સેવા માટેની સર્વિસ એક્સેલન્સ વાન શરૂ થતાં પાસપોર્ટ ઓફિસમાં પડતો લોડ ઓછો થશે. શહેરોમાં આ રીતે પાસપોર્ટ સેવા વાન શરૂ થવાના પગલે લોકોએ પાસપોર્ટ ઓફિસના બિનજરૂરી ધક્કા ખાવા પડશે નહીં. આના લીધે લોકોના સમયમાં નોંધપાત્ર બચત થશે.વિદેશ મંત્રાલયના આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ દેશમાં પુણે, ચંદીગઢ અને પછી અમદાવાદમાં આ પ્રકારની હરતીફરતી પાસપોર્ટ વાન સર્વિસ શરૂ થશે. આઇટી કંપની ટીસીએસે બનાવેલી પાસપોર્ટની આ વાનને અમદાવાદ રિજનલ પાસપોર્ટ સર્વિસ ખુલ્લી મૂકશે.

આ પાસપોર્ટ વાન અમદાવાદ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાસપોર્ટની અરજી વધારે આવતી હોય ત્યાં ફરતી રહેશે. આમ ઓનલાઇન એપ્લિકેશનનું ભારણ વધી જાય ત્યારે આ વાન સારો વિકલ્પ પૂરો પાડશે અને બેકલોગ જમા થવા દેશે નહીં. તેમા પાસપોર્ટમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ નોંધાવશો ત્યારે વેનનો વિકલ્પ પણ અપાશે. વાન કયા વિસ્તારમાં કેટલા વાગ્યા સુધી હાજર રહેશે તે વિસ્તારમાં એપોઇન્ટમેન્ટ બુક કરતાં અરજદારોએ વેનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...