Tuesday, September 16, 2025

અમદાવાદમાં પાસપોર્ટ સેવા માટે હરતીફરતી વાન, લોકોને ઘર આંગણે સુવિધા મળશે

Share

Share

અમદાવાદ : આજકાલ દેશમાં ડિજિટલ ઈન્ડિયા યોજનાને જોતા સરકારે દરેક વસ્તુ ડિજિટલ કરી દીધી છે. પરંતુ હવે ઘરે બેસીને પાસપોર્ટ આરામથી કાઢી શકશો. આજકાલ કોઈપણ કામ માટે 10 વખત પાસપોર્ટ ઓફિસના ચક્કર કાપવા પડે છે. અમદાવાદમાં ટૂંક સમયમાં હરતીફરતી વાનમાં મળશે પાસપોર્ટની સર્વિસ. તેના લીધે પાસપોર્ટ ઓફિસના વારંવારના ધક્કા ખાવા નહી પડે. આ સર્વિસના લીધે ખાસ કરીને વૃદ્ધોને રાહત થશે. વિદેશ મંત્રાલય તરફથી ટૂંક સમયમાં પાસપોર્ટ સર્વિસ શરૂ થશે.

આ હરતીફરતી વાન પાસપોર્ટની જેમ જ સગવડ આપશે. વાનમાં પાસપોર્ટ ઓફિસની જેમ જ દસ્તાવેજ સ્કેન કરી ફિંગર પ્રિન્ટ અને ફોટો લેવામાં આવશે. તેમા કેટલી એપોઇન્ટમેન્ટ લેવી, કેટલી વાન અમદાવાદને મળશે તેને લઈને આગામી સમયમાં પોલિસી બનશે એટલે તેના મેપિંગના આધારે ખબર પડશે. પાસપોર્ટ વાનમાં એક અનુભવી કર્મચારી અને એક ટીસીએસ હાજર રહેશે. ફાઇલ પાસપોર્ટ ઓફિસના ગ્રાન્ટિંગ ઓફિસર મંજૂર કરશે. આમ પાસપોર્ટ માટેની જે મોટાભાગની પ્રક્રિયા ઓફિસમાં જઈને કરવામાં આવે છે તે પ્રક્રિયા મુખ્યત્વે પાસપોર્ટ વાનમાં જ પૂરી થઈ જશે. ઓફિસે ખાલી અંતિમ સહી અને મંજૂરી માટે જવું પડશે.

અમદાવાદમાં પહેલી વખત જ હરતીફરતી પાસપોર્ટ સેવા માટેની સર્વિસ એક્સેલન્સ વાન શરૂ થતાં પાસપોર્ટ ઓફિસમાં પડતો લોડ ઓછો થશે. શહેરોમાં આ રીતે પાસપોર્ટ સેવા વાન શરૂ થવાના પગલે લોકોએ પાસપોર્ટ ઓફિસના બિનજરૂરી ધક્કા ખાવા પડશે નહીં. આના લીધે લોકોના સમયમાં નોંધપાત્ર બચત થશે.વિદેશ મંત્રાલયના આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ દેશમાં પુણે, ચંદીગઢ અને પછી અમદાવાદમાં આ પ્રકારની હરતીફરતી પાસપોર્ટ વાન સર્વિસ શરૂ થશે. આઇટી કંપની ટીસીએસે બનાવેલી પાસપોર્ટની આ વાનને અમદાવાદ રિજનલ પાસપોર્ટ સર્વિસ ખુલ્લી મૂકશે.

આ પાસપોર્ટ વાન અમદાવાદ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાસપોર્ટની અરજી વધારે આવતી હોય ત્યાં ફરતી રહેશે. આમ ઓનલાઇન એપ્લિકેશનનું ભારણ વધી જાય ત્યારે આ વાન સારો વિકલ્પ પૂરો પાડશે અને બેકલોગ જમા થવા દેશે નહીં. તેમા પાસપોર્ટમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ નોંધાવશો ત્યારે વેનનો વિકલ્પ પણ અપાશે. વાન કયા વિસ્તારમાં કેટલા વાગ્યા સુધી હાજર રહેશે તે વિસ્તારમાં એપોઇન્ટમેન્ટ બુક કરતાં અરજદારોએ વેનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...