Friday, March 13, 2026

અમરનાથ યાત્રા-2024ને લઇને તૈયારી શરૂ, તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન

spot_img
Share

અમદાવાદ : ભારતમાં હિન્દુઓ માટે અમરનાથ યાત્રાનું અનેરું મહત્વ છે. આ વર્ષે અમરનાથ યાત્રા કરવા માંગતા ભાવિકો માટે રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.મે મહિનાથી ચારધામ યાત્રાની શરૂઆત થઇ રહી છે. તો બીજી તરફ અમરનાથની યાત્રા માટે પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે.15 એપ્રિલ, 2024 થી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. ત્યારે આ યાત્રામાં કોઇ અગવડતા ન પડે તે માટે BRO દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ BRO દ્વારા વર્ષ 2024માં અમરનાથ યાત્રાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વખતે લોકસભા ચૂંટણી માટે પ્રવાસનો સમયગાળો 2 મહિનાને બદલે માત્ર 45 દિવસનો રહેશે.પૌરાણિક માન્યતાઓ અનુસાર, ગુફામાં હાજર બરફનું શિવલિંગ સંપૂર્ણપણે કુદરતી રીતે બનેલું છે. આ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય કહ્યું હતું, તેથી તેને અમરનાથ ધામ કહેવામાં આવે છે.

એવું કહેવાય છે કે અમરનાથ શિવલિંગની ઉંચાઈ ચંદ્રના વધવા અને અસ્ત થવા સાથે સતત વધતી અને ઓછી થતી જાય છે. એવું માનવામાં આવે છે કે બાબા બર્ફાનીના દર્શન કરવાથી કાશીમાં લિંગ દર્શન અને પૂજા કરતાં દસ ગણું, પ્રયાગ કરતાં સો ગણું અને નૈમિષારણ્ય તીર્થ કરતાં હજાર ગણું વધુ પુણ્ય મળે છે.અમરનાથ યાત્રાનો શ્રેષ્ઠ સમય ગુરુ પૂર્ણિમા અને શ્રાવણ પૂર્ણિમા છે.અમરનાથ યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ 3800 મીટર છે. આ ઊંચાઈ પર મહાદેવ બરફના લિંગના રૂપમાં બિરાજમાન છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...