Sunday, March 1, 2026

ધો 10ના વિદ્યાર્થીઓ આ તારીખ ખાસ નોંધી લો, શરૂ કરી દેવાયા પૂરક પરીક્ષાના ફોર્મ, જાણો વિગત

spot_img
Share

ગાંધીનગર : રાજ્યના ધોરણ 10ના નાપાસ થયેલા વિધાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં જૂલાઈમાં શરૂ થનારી ધોરણ 10ની પૂરક પરીક્ષાના ફોર્મ આજથી ભરવાના શરૂ થઈ ગયા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જે પૂરક પરીક્ષા આપવા માંગે છે તેઓ 22 મેના સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તમે બોર્ડની વેબસાઇટ પરથી પૂરક પરીક્ષાનું ફૉર્મ ભરી શકો છો. સાથે જ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકે છે. ફૉર્મ બાબતે એક મહત્વપૂર્ણ બાબત એ કે, વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી માફ કરી દેવાય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્યમાં જુલાઈ મહિનામાં યોજાનારી ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. જે વિદ્યાર્થી ધોરણ 10 માં ત્રણ વિષય સુધીમાં નાપાસ થયા છે તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરેલ છે. આગામી 22 મેના સાંજે પાંચ વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.જોકે પૂરક પરીક્ષા માટે શાળાઓએ જ ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાના આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા sscpurakreg.gseb.org પરથી ઓનલાઇન ભરાશે. તેમજ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા છે તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકશે. તેમજ કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

જે વિદ્યાર્થી ધોરણ 10 માં ત્રણ વિષય સુધીમાં નાપાસ થયા છે તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરેલ છે. જેમાં જે વિધાર્થી એક વિષયમાં નપાસ હશે તો 145 રૂપિયા બે વિષયમાં નાપાસો તો 235 અને ત્રણ વિષયમાં નાપાસ હશે તો 265 રૂપિયા ફી ભરવી પડશે.ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 માટે તમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉપરોક્ત વેબસાઈટ પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...