Monday, April 20, 2026

સાળંગપુરધામમાં 200 કરોડના ખર્ચે નવનિર્મિત 1100 રૂમનું યાત્રિક ભવન તૈયાર, 31 ઓક્ટોબરે અમિત શાહના હસ્તે લોકાર્પણ

spot_img
Share

સાળંગપુર : સાળંગપુરધામમાં દર્શને આવતા ભક્તોની સગવડને ધ્યાનમાં રાખી 1000 થી વધુ રૂમનું અત્યાધુનિક વિશાળ શ્રી ગોપાળાનંદસ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન પવિત્ર કાળીચૌદશના શુભ દિને સવારે 7 કલાકે પરમ પૂજ્ય આચાર્યશ્રી સકેશપ્રસાદજી મહારાજ તથા શ્રી અમિત શાહ – માનનીય કેન્દ્રીય ગૃહ એવં સહકારીતા મંત્રી અને સંપ્રદાયના વડીલ સંતોના વરદ્ હસ્તે કરવામાં આવશે. રાજમહેલ જેવું આ યાત્રિક ભવનનું એલિવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે, જેની ડિઝાઇન 4-5 વાર બનાવ્યા પછી સંતોએ હાલની ડિઝાઇન ફાઈનલ કરી હતી. બિલ્ડિંગમાં પ્રવેશતાં જ ઇન-આઉટના બે રેમ્પ બનાવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની વિશેષતામાં દાદાના દરબારનું ઐતિહાસિક નજરાણું, ઇન્ડો રોમન સ્ટાઈલનું અદ્ભૂત નિર્માણ, 1000 થી વધારે રૂમ, 2500 કારનું વિશાળ પાર્કિંગ ધરાવતું 8 માળનું અત્યાધુનિક ભવન, 9,00,000 સ્કેવર ફીટથી વધારે બાંધકામ, 50,00,000 કીલો સ્ટીલનો ઉપયોગ, 2,25,000 લિટર પાણી સંગ્રહની ક્ષમતા, ગરમ પાણી માટે 9,000 લીટરનો હિટ પંપ, 42 આરઓ વોટર પોઈન્ટની સુવિધા, દરેક રુમમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી સુવિધા, ગ્રીન બીલ્ડીંગ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ, દરેક રૂમને બાલ્કની મળશે, 10 લીફટ, 6 સીડી, ફાયર સેફ્ટીની સુવિધા, રિસેપ્શન એરિયા: 12,500 સ્કવેર ફીટ, 75 ફીટ ઉંચાઈ અને 110 ફીટ પહોળાઈ , યાત્રિક ભવન લંબાઈ 611 ફીટ, પહોળાઈ 275 ફીટ, ઉંચાઈ 165 ફીટ તથા ઈન્ડિયન વેધર કન્ડિશન પ્રમાણે વિન્ડ ડિરેક્શનને ધ્યાનમાં રાખીને ભવનનું નિર્માણ કરાયું છે.

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુરધામ આયોજીત નૂતન શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ઉદ્ઘાટન સમારોહ તારીખ: 31 ઓક્ટોબરના સમય: સવારે 7 કલાકે યોજવામાં આવેલ છે તેમ શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી અથાણાવાળા (સાળંગપુરધામ) એ જણાવેલ છે.

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં ઉતારુઓની સલામતી માટે 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલાં મુખ્ય ગેટથી પ્રવેશ કરી શકાશે નહીં. અહીંના વિશાળ પાર્કિંગમાં 2500થી વધુ કાર, 1 હજારથી વધુ દ્વિચક્રી વાહનો અને 50થી વધારે બસ પાર્ક કરી શકાશે.

આ બિલ્ડિંગમાં એસી રૂમનું ભાડું રૂમ દીઠ રૂ.1500 અને નૉન એસી રૂમનું ભાડું રૂમદીઠ રૂ.800 રહેશે. જેમાં એક રૂમમાં 4 સિંગલ બેડ અને એક ગાદલું, રજાઈ, ઓશિકું અને ખુરશી અપાશે. તો 45 સ્યુટ રૂમ દીઠ ભાડું રૂ.3 હજાર રહેશે, જેમાં દરેક રૂમમાં 4 સિંગલ બેડ, 1 ડબલ બેડ, ટેબલ-ખુરશી અને ફર્નિચર હશે. ઑનલાઇન બુકિંગ https://salangpurhanumanji.org/ વેબસાઇટ પરથી કરી શકાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...