Thursday, September 18, 2025

કચ્છ રણોત્સવનો આ તારીખથી પ્રારંભ, જાણો ટેન્ટના ભાવ અને ફરવા લાયક સ્થળોની માહિતી

Share

Share

અમદાવાદઃ કચ્છમાં ગુજરાત ટૂરિઝમ દ્વારા દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છમાં રણોત્સવનો 11 નવેમ્બરથી પ્રારંભ થશે. જેની પૂર્ણાહુતિ 15મી માર્ચ 2025ના રોજ થશે. રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટસિટી છે. સફેદ રણમાં વિવિધ રહેઠાણનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ટેન્ટ સિટી કહેવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારના ટેન્ટ રાખવામાં આવે છે. પ્રવાસીઓ માટે ડિલક્ષ હોટેલ જેવી સુવિધાથી સજ્જ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ વર્ષે રણ ઉત્સવ ટેન્ટના ભાવમાં રૂપિયા 500 થી 1000 નો વધારાનો અંદાજ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સફેદ રણમાં ‘રણ ઉત્સવ’ નામથી ઉત્સવ ઉજવાય છે. જેમાં કચ્છની કલા અને સંસ્કૃતિને જોવા માણવા માત્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ આવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છના મીઠાના રણનું અદભુત કુદરતી સૌંદર્ય, ટેન્ટ સિટીમાં રહેવાની મજા, લોકસંસ્કૃતિ, પરંપરાગત ભોજનનો આનંદ માણે છે.

રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટ સિટીમાં ટેન્ટની શરૂઆત નોન-એસી સ્વિસ કોટેજથી થાય છે. જેનો વ્યક્તિ દીઠ એક રાતનું ભાડું રૂ. 5,500 છે. આ ભાવ નવેમ્બર અને ફેબ્રુઆરી મહિના માટે છે. જેમાં દિવાળી અને ફુલ મૂન નાઈટને બાદ કરવામાં આવે છે. જ્યારે ડીલક્સ એસી સ્વિસ કોટેજનો વ્યક્તિ દીઠ એક રાત્રિના રોકાણનું ભાડું રૂપિયા સાડા સાત હજાર છે. પ્રીમિયમ ટેન્ટનું ભાડું રૂ. સાડા આઠ હજાર નક્કી કરાયું છે. નવા ઉમેરાયેલ સુપર પ્રીમિયમ ટેન્ટનું ભાડું રૂ. સાડા નવ હજાર છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ક્રિસમસ, ન્યૂ યર અને ફુલ મૂન નાઈટને બાદ કરતા વ્યક્તિ દીઠ એક રાત્રિનું ભાડું રૂ. સાત હજાર થી લઈને રૂપિયા 11 હજાર 500 સુધી નક્કી કરાયું છે.

રજવાડી સ્યુટની એક રાત્રિનું ભાડું રૂપિયા 30 હજાર છે. જેમાં બે વ્યક્તિનો સમાવેશ થાય છે. તો સાથે જ દરબારી સ્યુટની એક રાત્રિનું ભાડું રૂપિયા 55 હજાર છે. જેમાં ચાર લોકો રહી શકે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે રણ ઉત્સવ ટેન્ટના ભાવમાં રૂપિયા 500 થી એક હજારનો વધારો છે. સાથે જ અત્યારથી એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂકી છે.

કચ્છના ઘોરડો ગામમાં રણ ઉત્સવ યોજવામાં આવે છે. જે ભુજ શહેરથી 80 કિમી દૂર આવેલું છે. કચ્છ જવા માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મુખ્ય શહેરોથી બસ, ટ્રેન સુવિધા ઉપલબ્ધ છે. કચ્છમાં રણ ઉત્સવ ઉપરાંત ઘણા ફરવા લાયક સ્થળ આવેલા છે. જેમાં કાળો ડુંગર, ભુજીયો ડુંગર, આઈના મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ પેલેસ, કચ્છ મ્યુઝિયમ, હમીરસર તળાવ, માંડવીનો રમણીય દરિયા કિનારો, માતાનો મઢ, લખપતનો કિલ્લો, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...