Monday, November 10, 2025

કચ્છ રણોત્સવનો આ તારીખથી પ્રારંભ, જાણો ટેન્ટના ભાવ અને ફરવા લાયક સ્થળોની માહિતી

spot_img
Share

અમદાવાદઃ કચ્છમાં ગુજરાત ટૂરિઝમ દ્વારા દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છમાં રણોત્સવનો 11 નવેમ્બરથી પ્રારંભ થશે. જેની પૂર્ણાહુતિ 15મી માર્ચ 2025ના રોજ થશે. રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટસિટી છે. સફેદ રણમાં વિવિધ રહેઠાણનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ટેન્ટ સિટી કહેવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારના ટેન્ટ રાખવામાં આવે છે. પ્રવાસીઓ માટે ડિલક્ષ હોટેલ જેવી સુવિધાથી સજ્જ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ વર્ષે રણ ઉત્સવ ટેન્ટના ભાવમાં રૂપિયા 500 થી 1000 નો વધારાનો અંદાજ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સફેદ રણમાં ‘રણ ઉત્સવ’ નામથી ઉત્સવ ઉજવાય છે. જેમાં કચ્છની કલા અને સંસ્કૃતિને જોવા માણવા માત્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ આવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છના મીઠાના રણનું અદભુત કુદરતી સૌંદર્ય, ટેન્ટ સિટીમાં રહેવાની મજા, લોકસંસ્કૃતિ, પરંપરાગત ભોજનનો આનંદ માણે છે.

રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટ સિટીમાં ટેન્ટની શરૂઆત નોન-એસી સ્વિસ કોટેજથી થાય છે. જેનો વ્યક્તિ દીઠ એક રાતનું ભાડું રૂ. 5,500 છે. આ ભાવ નવેમ્બર અને ફેબ્રુઆરી મહિના માટે છે. જેમાં દિવાળી અને ફુલ મૂન નાઈટને બાદ કરવામાં આવે છે. જ્યારે ડીલક્સ એસી સ્વિસ કોટેજનો વ્યક્તિ દીઠ એક રાત્રિના રોકાણનું ભાડું રૂપિયા સાડા સાત હજાર છે. પ્રીમિયમ ટેન્ટનું ભાડું રૂ. સાડા આઠ હજાર નક્કી કરાયું છે. નવા ઉમેરાયેલ સુપર પ્રીમિયમ ટેન્ટનું ભાડું રૂ. સાડા નવ હજાર છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ક્રિસમસ, ન્યૂ યર અને ફુલ મૂન નાઈટને બાદ કરતા વ્યક્તિ દીઠ એક રાત્રિનું ભાડું રૂ. સાત હજાર થી લઈને રૂપિયા 11 હજાર 500 સુધી નક્કી કરાયું છે.

રજવાડી સ્યુટની એક રાત્રિનું ભાડું રૂપિયા 30 હજાર છે. જેમાં બે વ્યક્તિનો સમાવેશ થાય છે. તો સાથે જ દરબારી સ્યુટની એક રાત્રિનું ભાડું રૂપિયા 55 હજાર છે. જેમાં ચાર લોકો રહી શકે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે રણ ઉત્સવ ટેન્ટના ભાવમાં રૂપિયા 500 થી એક હજારનો વધારો છે. સાથે જ અત્યારથી એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂકી છે.

કચ્છના ઘોરડો ગામમાં રણ ઉત્સવ યોજવામાં આવે છે. જે ભુજ શહેરથી 80 કિમી દૂર આવેલું છે. કચ્છ જવા માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મુખ્ય શહેરોથી બસ, ટ્રેન સુવિધા ઉપલબ્ધ છે. કચ્છમાં રણ ઉત્સવ ઉપરાંત ઘણા ફરવા લાયક સ્થળ આવેલા છે. જેમાં કાળો ડુંગર, ભુજીયો ડુંગર, આઈના મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ પેલેસ, કચ્છ મ્યુઝિયમ, હમીરસર તળાવ, માંડવીનો રમણીય દરિયા કિનારો, માતાનો મઢ, લખપતનો કિલ્લો, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...