Tuesday, January 20, 2026

અમદાવાદમાં પોલીસ સામે દાદાગીરી કરવી ભારે પડી, આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગવી પડી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના રખિયાલમાં ગુંડાગર્દી કરનારા તત્વોની પોલીસે હવે શાન ઠેકાણે લાવી લીધી છે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આરોપીઓને રખિયાલમાં દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે. જેમાં આ આરોપીઓએ જાહેરમાં પોલીસને પણ ધાકધમકી આપી હતી. જોકે પોલીસે હવે દરેકને કાયદાનું ભાન કરાવ્યું છે. જેમાં પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.તમને જણાવી દઈએ કે રખિયાલ અને બાપુનગરમાં અસમાજિક તત્વો દ્વારા આતંક મચાવવા કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે વધુ બે આરોપીઓની ધરપકડ કરાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રખિયાલ બાપુનગર વિસ્તારમાં પોલીસે જાહેરમાં લોકોની વચ્ચે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. જેમાં લોકોને પોતાનો ખૌફ દેખાડતા આ આરોપીઓની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી હતી. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવાની સાથે આરોપીઓએ સ્થાનિકોના હાથ જોડીને માફી પણ માગી હતી. આ સમયે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.આરોપીઓને લઈને ક્રાઈમ બ્રાન્ચ, બાપુનગર પોલીસ અને રખિયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે જગ્યાએ આરોપીઓએ આતંક મચાવેલો ત્યાં પોલીસ આરોપીઓને લઈને પહોંચી હતી. જેમાં આરોપી ફઝલ શેખ, સમીર શેખ, અલ્તાફ શેખ અને મહેકૂઝ મિયાંને લઈને પોલીસ સ્થળ પર પહોંચી જ્યાં આરોપીઓએ હાથ જોડીને સ્થાનિક લોકો પાસેથી માફી પણ માંગી હતી.

ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓએ જાહેરમાં તલવાર સહિતના હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. જેમાં પોલીસની ગાડી જ્યારે પહોંચી ત્યારે પોલીસને પણ છરી બતાવીને ધાક ધમકી આપી હતી. સાથે જ પોલીસની ગાડીના કાચ પણ તોડ્યા હતા. જોકે સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ દરેક આરોપીઓની શાન ઠેકાણે લાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આરોપીઓને રખિયાલમાં દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે. જે આરોપીઓ ખુલ્લેઆમ તલવાર લઈને દાદાગીરી કરતા હતા તેઓની ગુજરાત પોલીસે ગુંડાઓની બધી જ દાદાગીરી કાઢી નાંખી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...