Sunday, November 9, 2025

ગુજરાતની નિર્ભયા 8 દિવસ અંતે મોત સામે જંગ હારી, ઝઘડિયામાં પાશવી બળાત્કારનો ભોગ બનેલી 10 વર્ષની બાળકીનું થયુ મોત

spot_img
Share

ભરૂચ : ભરૂચ પાસે ઝઘડિયા જીઆઇડીસીમાં રેપ કેસની પીડિત 10 વર્ષની બાળકીનું હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકી બે ઓપરેશન બાદ વડોદરા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં મોત સામે જંગ લડી રહી હતી. ગંભીર ઇજાના પગલે બે-બે ઓપરેશન બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો થયો ન હતો. આજે બાળકીનું હોસ્પિટલમાં મોત થયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દિલ્હીના નિર્ભયા કાંડની જેમ જ આ હવસખોરે બાળકી પર બર્બરતાપૂર્ણ અને ક્રુરતાની તમામ હદો વટાવી દુષ્કર્મ આચર્યુ હતુ. નિર્ભયા દુષ્કર્મકાંડની જેમ જ હવસખોર હૈવાને બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો હતો. જેના કારણે બાળકી ભયંકર હદે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈન્ટરનલ ઈન્જરી એટલી હદે હતી અને તેના કારણે સમગ્ર શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયુ હતુ. જે બાદ બાળકીને સારવાર અર્થે ખસેડાઈ હતી.

16 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી બાળકી તેની પીડા સામે ઝઝુમતી રહી. ઘટનાથી બાળકી એટલી હદે ડરી ગઈ હતી અને તેના મસ્તિષ્ક પર એટલી ખરાબ અસર થઈ હતી કે તેનામાંથી કોઈ ચિત્કાર પણ નીકળતો ન હતો. SSG હોસ્પિટલના ડોક્ટરની ટીમ સતત બાળકીની દેખરેખ રાખી રહી હતી અને સારવાર કરી હતી. 2 દિવસમાં બાળકીને 3 યુનિટ બ્લડ પણ ચડાવવામાં આવ્યુ હતુ. પરંતુ સ્થિતિ એટલી ક્રિટીકલ બની ગઈ હતી કે ગઈકાલથી જ બાળકી કોઈ રિસ્પોન્સ આપી રહી ન હતી. ઓપરેશન બાદ અને અન્ય સારવાર બાદ પણ બાળકીના શરીરમાં ઈન્ફેક્શન યથાવત રહ્યુ હતુ. SSGના 10 થી વધુ ડૉક્ટરની ટીમ બાળકીની સારવારમાં લાગેલી હતી પરંતુ સ્થિતિ અત્યંત નાજુક બનેલી હતી અને તેના બ્લડ પ્રેશરમાં પણ સતત ઉતારચડાવ આવતો હતો. અંતે બાળકીએ જિંદગી સામે જાણે હાર માની લીધી અને હોસ્પિટલના બિસ્તર પર જ છેલ્લા શ્વાસ લીધા.

આ સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો 16 ડિસેમ્બરે બાળકી સાથે બર્બરતાપૂર્ણ દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ. જે બાદ તેને ભરૂચની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જો કે સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેને વડોદરા SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. બાળકીની માતાની ફરિયાદ બાદ પોલીસે 6 લોકોની ટીમ બનાવી સઘન તપાસ હાથ ધરી અને 17 ડિસેમ્બરે પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર વિજય પાસવાનની ધરપકડ કરી. આરોપી ઝારખંડ ભાગી જવાની પેરવીમાં હતો. જો કે પોલીસે એ પહેલા જ તેને દબોચી લીધો હતો.

આરોપી ઝઘડિયાની જ થર્મેક્સ કંપની હેલ્પર તરીકે કામ કરતો હતો. તે બાળકીની બાજુમાં જ રહેતો હતો અને બાળકીના માતાપિતાને પણ ઓળખતો હતો. બાળકીના માતાપિતા પણ ઝારખંડથી જ ગુજરાત આવેલા હતા. શ્રમિક પરિવારની આ બાળકી પર આ નરાધમે આ બીજીવાર દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે પહેલીવાર તો તેના માતાપિતાએ આબરુ જવાના ડરથી કોઈ ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે જ આ નરાધમની હિંમત વધી ગઈ અને બાળકીને બીજીવાર હવસની શિકાર બનાવી. ન માત્ર તેની પર દુષ્કર્મ આચર્યુ પરંતુ બર્બરતાની તમામ હદો પાર કરી દીધી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...