28.2 C
Gujarat
Wednesday, February 12, 2025

ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, ભક્તોમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો

Share

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા નીકળી હતી.આજે સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની રથયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી.

આ જળયાત્રા મીની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય મીની રથયાત્રા યોજાઈ હતી. થોડીવારમાં ભગવાનની શોડષોપચાર પૂજા શરૂ થશે. બાદમાં ભગવાનને ગજવેશનો શણગાર કરાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે જમાલપુર મંદિરથી જળયાત્રા નીકળી ત્યારે મંદિર પરિસરમાં 108 કળશ શણગારીને લઈ જવામાં હતા.એટલું જ નહીં, આ વર્ષે ધ્વજાપતાકા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે સાથે 18 ગજરાજ પણ જળયાત્રામાં જોડાયા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles