Sunday, November 9, 2025

સરકારી બાબુઓ સાવધાન ! ગાંધીનગરમાં ASI બે લાખની લાંચ લેતા ઝડપાયા

spot_img
Share

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી બાબુઓ ભ્રષ્ટાચારમાં કેટલા ગળાડૂબ થઈ ગયા છે અને લાંચની ઘટનામાં વધારો થતા ACB પણ સક્રિય થઇ છે. જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે ACBએ વિવિધ જગ્યાએથી લાંચિયા અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. ACBની કાર્યવાહી બાદ પણ લાંચ લેવાની ઘટનાઓ ઓછી થઇ નથી.ગાંધીનગરમાં ફરી એક વખત જામનગર ACBની કાર્યવાહીમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનના ASIને 2 લાખની લાંચ લેતા ઝડપાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમા અશોકભાઇ બેચરભાઇ ચૌધરી અર્નાર્મ્ડ ASI તરીકે ફરજ બજાવે છે. આ કામના ફરિયાદી વિરૂદ્ધ નાણાકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજી કરી હતી. ASIએ ફરિયાદીને અરજી તપાસમાં હેરાનગતી નહીં કરવા અને ગુન્હો દાખલ નહીં કરવાના અવેજ પેટે 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ જામનગર ACBનો સંપર્ક કર્યો હતો.

ફરીયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન અડાલજમાં આવેલા અતીથી ધાબા પાસે ગાંધીનગર સેક્ટર-7ના ASI ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી હતી અને સ્વીકારી પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ઝડપાઇ જઇ ગુન્હો કર્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...