Sunday, November 9, 2025

જન્મ-મરણ પ્રમાણપત્ર મેળવવું મોંઘું બન્યું, સરકારે નોંધણી ફીમાં 10 ગણો વધારો

spot_img
Share

ગાંધીનગર : એક તરફ લોકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે. મોંઘવારી દબાતા પગલે આવીને કઈ કઈ વસ્તુઓના ભાવ વધારી જાય છે તે લોકોને ખબર પડતી નથી. ગુજરાતમાં હવે જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો પડશે. કારણ કે, સરકારે જન્મ અને મરણની નોંધણી ફીમાં 10 ટકાનો ધરખમ વધારો લાગુ કર્યો છે. 27 ફેબ્રુઆરીથી નવો ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકારે રાજ્યમાં જન્મ અને મરણની નોંધણી ફીમાં ધરખમ વધારો કર્યો છે. આ નવા નિયમો 27મી ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયા છે, જેના કારણે નાગરિકોને આ સેવાઓ માટે હવે વધુ ખર્ચ કરવો પડશે. સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકો પર સીધી અસર પડશે.નવા નિયમો અનુસાર, મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટેની ફી અગાઉના માત્ર રૂ. 5 થી વધારીને સીધી રૂ. 20 કરવામાં આવી છે. આ જ રીતે, જન્મના દાખલા માટે પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જે પહેલા રૂ. 10 હતી તે હવે રૂ. 50 ચૂકવવી પડશે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

ફી વધારાની સાથે, સરકારે મોડી નોંધણીના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની ઘટનાની નોંધણી 30 દિવસની સમય મર્યાદા પછી કરાવે છે, તો તેને હવે વધુ લેટ ફી ભરવી પડશે. અગાઉ આ લેટ ફી માત્ર રૂ. 10 હતી, જે વધારીને રૂ. 50 કરવામાં આવી છે. એટલું જ નહીં, જો નોંધણી એક વર્ષથી પણ વધુ મોડી થાય તો રૂ. 100 ની ફી ભરવાની રહેશે, અને આવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી પણ ફરજિયાત રહેશે. આ નિયમોનો હેતુ સમયસર જન્મ અને મરણની નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.

વધુમાં, સરકારે પ્રમાણપત્રોના સ્વરૂપમાં પણ ફેરફાર કર્યો છે. હવેથી પ્રમાણપત્રો ઇલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે, અને અગાઉ વપરાતો ‘નકલ’ શબ્દ હવે ‘પ્રમાણપત્ર’ તરીકે ઓળખાશે. આ ફેરફાર પ્રમાણપત્રોને વધુ અધિકૃત અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે.

સરકારે આ નવા નિયમોમાં ખોટી માહિતી આપવા બદલ દંડની જોગવાઈ પણ કરી છે. જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી દરમિયાન ખોટી માહિતી આપે છે, તો તેને રૂ. 50 થી લઈને રૂ. 1000 સુધીનો દંડ થઈ શકે છે. આ કડક જોગવાઈનો હેતુ ખોટી માહિતી આપવાના કિસ્સાઓને અટકાવવાનો અને નોંધણી પ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવવાનો છે.

જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર અને 15 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઓફલાઈન અરજી: જે લોકો પોતાના જન્મ પ્રમાણપત્રમાં કોઈ ફેરફાર કરવા માંગે છે અથવા જેમની ઉંમર 15 વર્ષથી વધુ છે, તેઓએ નજીકના મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અથવા સંબંધિત ઓફિસમાં જઈને ઓફલાઈન અરજી કરવાની રહેશે. ઓફલાઈન અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે. અરજી કર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી જન્મ પ્રમાણપત્ર આપવામાં આવશે.

નવા જન્મ પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી: જે લોકોએ હજી સુધી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી, તેઓ ભારત સરકારની અધિકૃત વેબસાઈટ https://dc.crsorgi.gov.in/crs/ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતાની અરજી સબમિટ કરી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...