Wednesday, January 14, 2026

વાલીઓ માટે ખુશખબર, RTE એડમિશનની આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામા આવશે

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકાર રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા વધારવાની વિચારણા કરી રહી છે. હાલમાં ગ્રામીણ વિસ્તારો માટે આવક મર્યાદા 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારો માટે 1.50 લાખ રૂપિયા છે.રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાની સમય માર્યાદ વધારવા મામલે રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સરકાર આ મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવા અંગે વિચારણા કરી રહી છે. આ અંગેનો નિર્ણય આગામી એક-બે દિવસમાં લેવામાં આવી શકે છે. જો આવક મર્યાદા વધારવામાં આવશે, આ અંગેની સત્તાવાર જાહેરાત અગામી દિવસોમાં થઈ શકે છે. તો વાલીઓને નવા આવકના પ્રમાણપત્રો મેળવવા માટે 10 દિવસનો વધારાનો સમય આપવામાં આવશે.

RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ, 2025 થી વધારીને 16 માર્ચ, 2025 કરવામાં આવી છે. વેબસાઈટ પર વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.RTE એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. પરંતુ, સાઈટ ધીમી ચાલી રહી હોવાના કારણે ફોર્મ ભરવાની મુદતમાં હવે 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત વાલી એકતા મંડળે 7 મહિના પહેલા મુખ્યમંત્રીને પત્ર લખીને આવક મર્યાદા વધારવાની માંગણી કરી હતી. મંડળનું કહેવું છે કે 2009માં RTE કાયદો અમલમાં આવ્યો ત્યારથી મોંઘવારીમાં ઘણો વધારો થયો છે. રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં RTE માટે આવક મર્યાદા 2.50 લાખ રૂપિયા છે, તો ગુજરાતમાં પણ તે વધારવી જોઈએ.

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી અને પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. RTE કાયદો 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપે છે. આ માહિતી વાલીઓ માટે ઉપયોગી થશે જેઓ RTE હેઠળ તેમના બાળકોને પ્રવેશ અપાવવા માંગે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...