Sunday, March 1, 2026

વાલીઓ માટે ખુશખબર, RTE એડમિશનની આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામા આવશે

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકાર રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા વધારવાની વિચારણા કરી રહી છે. હાલમાં ગ્રામીણ વિસ્તારો માટે આવક મર્યાદા 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારો માટે 1.50 લાખ રૂપિયા છે.રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાની સમય માર્યાદ વધારવા મામલે રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સરકાર આ મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવા અંગે વિચારણા કરી રહી છે. આ અંગેનો નિર્ણય આગામી એક-બે દિવસમાં લેવામાં આવી શકે છે. જો આવક મર્યાદા વધારવામાં આવશે, આ અંગેની સત્તાવાર જાહેરાત અગામી દિવસોમાં થઈ શકે છે. તો વાલીઓને નવા આવકના પ્રમાણપત્રો મેળવવા માટે 10 દિવસનો વધારાનો સમય આપવામાં આવશે.

RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ, 2025 થી વધારીને 16 માર્ચ, 2025 કરવામાં આવી છે. વેબસાઈટ પર વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.RTE એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. પરંતુ, સાઈટ ધીમી ચાલી રહી હોવાના કારણે ફોર્મ ભરવાની મુદતમાં હવે 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત વાલી એકતા મંડળે 7 મહિના પહેલા મુખ્યમંત્રીને પત્ર લખીને આવક મર્યાદા વધારવાની માંગણી કરી હતી. મંડળનું કહેવું છે કે 2009માં RTE કાયદો અમલમાં આવ્યો ત્યારથી મોંઘવારીમાં ઘણો વધારો થયો છે. રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં RTE માટે આવક મર્યાદા 2.50 લાખ રૂપિયા છે, તો ગુજરાતમાં પણ તે વધારવી જોઈએ.

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી અને પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. RTE કાયદો 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપે છે. આ માહિતી વાલીઓ માટે ઉપયોગી થશે જેઓ RTE હેઠળ તેમના બાળકોને પ્રવેશ અપાવવા માંગે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...