Wednesday, September 17, 2025

વાલીઓ માટે ખુશખબર, RTE એડમિશનની આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામા આવશે

Share

Share

ગાંધીનગર : ગુજરાત સરકાર રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા વધારવાની વિચારણા કરી રહી છે. હાલમાં ગ્રામીણ વિસ્તારો માટે આવક મર્યાદા 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારો માટે 1.50 લાખ રૂપિયા છે.રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાની સમય માર્યાદ વધારવા મામલે રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સરકાર આ મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવા અંગે વિચારણા કરી રહી છે. આ અંગેનો નિર્ણય આગામી એક-બે દિવસમાં લેવામાં આવી શકે છે. જો આવક મર્યાદા વધારવામાં આવશે, આ અંગેની સત્તાવાર જાહેરાત અગામી દિવસોમાં થઈ શકે છે. તો વાલીઓને નવા આવકના પ્રમાણપત્રો મેળવવા માટે 10 દિવસનો વધારાનો સમય આપવામાં આવશે.

RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ, 2025 થી વધારીને 16 માર્ચ, 2025 કરવામાં આવી છે. વેબસાઈટ પર વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.RTE એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. પરંતુ, સાઈટ ધીમી ચાલી રહી હોવાના કારણે ફોર્મ ભરવાની મુદતમાં હવે 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત વાલી એકતા મંડળે 7 મહિના પહેલા મુખ્યમંત્રીને પત્ર લખીને આવક મર્યાદા વધારવાની માંગણી કરી હતી. મંડળનું કહેવું છે કે 2009માં RTE કાયદો અમલમાં આવ્યો ત્યારથી મોંઘવારીમાં ઘણો વધારો થયો છે. રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં RTE માટે આવક મર્યાદા 2.50 લાખ રૂપિયા છે, તો ગુજરાતમાં પણ તે વધારવી જોઈએ.

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી અને પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. RTE કાયદો 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપે છે. આ માહિતી વાલીઓ માટે ઉપયોગી થશે જેઓ RTE હેઠળ તેમના બાળકોને પ્રવેશ અપાવવા માંગે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...