Sunday, February 8, 2026

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોનાં મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બે અલગ-અલગ સ્થળે અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. જેમાં આંબલી પોલીસ ચોકી પાસે ટ્રકચાલકે ચાલતા જતા વૃધ્ધાને અડફેટે લેતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. તેમજ નિરમા યુનિવર્સિટી પાસે ટુ-વ્હીલર સ્લીપ થતા મહિલાનું મોત નિપજ્યુ હતુ. બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્રથમ બનાવમાં કલોલમાં 47 વર્ષીય અર્ચનાબેન પટેલ પરિવાર સાથે રહેતા હતા. ગત 18 એપ્રિલે સવારના સમયે અર્ચનાબેન પોતાનું ટુ-વ્હીલર લઇને કામઅર્થે અમદાવાદ આવવા નીકળ્યા હતા. ત્યારે એસ.જી.હાઇવે નિરમા યુનિવર્સિટી પાસે પહોચ્યા તે સમયે પુરઝડપે હંકારતા હતા ત્યારે રસ્તા વચ્ચે કંઇક આવતા અચાનક બ્રેક મારતા ટુ-વ્હીલર સ્લીપ થતા તેઓ રસ્તા પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી આસપાસના લોકોએ તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગે એસ.જી.હાઇવે-1 ટ્રાફિક પોલીસે મૃતક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં ઘુમામાં રહેતા 71 વર્ષીય તપસ્વીનભાઇ દિક્ષિત નિવૃત જીવન ગુજારે છે. ગત 4 એપ્રિલે તેમની 71 વર્ષીય પત્ની મૃદુલાબેન ઇસ્કોન મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે આંબલી પોલીસ ચોકી પાસે પહોચ્યા અને ચાલતા જતા હતા તે સમયે પુરઝડપે આવી રહેલ ટ્રકચાલકે તેમને ટક્કર મારતા તેઓ ફંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યુ હતુ. જ્યારે અકસ્માત કર્યા બાદ ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. આ અંગે તપસ્વીનભાઇએ ટ્રકચાલક સામે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...