Saturday, February 7, 2026

પશ્ચિમ અમદાવાદમાં કોરોના વકર્યો : ઘરમાં 3 કે તેથી વધુ કેસ હશે તેને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આ વર્ષે ફેબુ્આરી મહિના બાદ પહેલી વખત કોરોનાના નવા કેસની સંખ્યા ૩૦૦ના આંકને પાર કરી ગઈ છે.ગુરુવારે શહેરમાં દૈનિક કેસમાં ૫૭ કેસનો વધારો થતાં નવા ૩૦૯ કેસ નોંધાયા હતા.હાલમાં શહેરમાં કોરોનાના એકટિવ કેસ ૧૫૦૦ થી પણ વધુ છે.૮ મે બાદ શહેરમાં પહેલી વખત બોપલ,સાઉથ બોપલના એક-એક તેમજ ન્યૂ રાણીપ અને નવરંગપુરાના એક-એક એમ કુલ ચાર સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.કોરોના સંક્રમણમાં વધારો થતાં શહેરમાં જે સ્થળે કોરોનાના ત્રણ કે ત્રણથી વધુ કેસ નોંધાશે ત્યાં માઈક્રોકન્ટેઈન્મેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે.

હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના 1500થી વધુ એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વાર ઘેર ઘેર સર્વેલન્સ અને સ્ક્રીનિંગ હાથ ધરાશે અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે.ન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને કોરોનાના ટેસ્ટિંગ વધારવા, માસ્ક ફરિજયાત બનાવવા અને જે કોઈ ઘરમાં ત્રણ વ્યક્તિ કોરીનાની ઝપટમાં આવ્યા હોય તો તે મકાનને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવા સહિતના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...