Sunday, February 8, 2026

અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ મેટ્રો રૂટ 7 કલાક બાદ ફરી શરૂ, આ કારણે પ્રભાવિત થઈ હતી સેવા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે (22 મે) વહેલી સવારથી બંધ એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા ફરી શરુ કરવામાં આવી છે. બુધવારે રાત્રે વીજ પુરવઠો પૂરો પાડતાં કેબલની ચોરી થવાના કારણે આ રૂટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, હવે ફરી તેને રાબેતા મુજબ શરુ કરી દેવાયો છે.

મેટ્રો વિભાગે આપેલી માહિતી અનુસાર, ગુજરાત મેટ્રો રેલની વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટની સેવા ટેક્નિકલ ફોલ્ટ સર્જાવવાના કારણે બંધ કરવામાં આવી હતી.વસ્ત્રાલથી થલતેજ રૂટની મેટ્રો સેવા સાત કલાક ખોરવાયા બાદ બપોરે 1.30 વાગ્યા પછી ફરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત મેટ્રો કોર્પોરેશન લિમિટેડના જવાબદાર અધિકારીઓ દ્વારા સવારથી મેટ્રો ટ્રેનમાં ટેકનિકલ ફોલ્ટ થયો હોવાની જાણ છતાં પણ કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નહોતી. જેના કારણે મોટી સંખ્યામાં મેટ્રો ટ્રેનના મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા માઈક મારફતે મુસાફરોને જાહેરાત કરવામાં આવી હતી કે, ટેક્નિકલ ફોલ્ટના કારણે થલતેજ ગામવાળો રૂટ બંધ રહેશે. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે.

વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટમાં શાહપુર અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન ખાતે કેબલ ચોરી થવાની ઘટના બની હતી. જેના કારણે મેટ્રો સેવા બંધ કરવી પડી હતી. જોકે, આ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ નહોતી. જ્યારે મેટ્રો સ્ટેશન પર લોકો આવ્યા અને ટ્રેન નથી આવતી તેની જાણ થઈ ત્યારે ખબર પડી હતી કે, મેટ્રો રેલ સેવા બંધ કરવામાં આવી છે. મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રેલ સેવા ટેક્નિકલ કારણોસર બંધ કરવામાં આવી છે તેની જાહેરાત પણ માઇક દ્વારા મોડેથી કરવામાં આવી હતી.

મેટ્રો ટ્રેન બંધ થવાના કારણે વસ્ત્રાલથી થલતેજ એસજી હાઇવે અને શહેરના કોટ વિસ્તારમાં નોકરી-ધંધે જવા વાળા લોકો સવારથી હેરાન થયા હતા. પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં નોકરીએ જનારા લોકોને મેટ્રો ટ્રેનમાં જવાના બદલે બસ અથવા રીક્ષામાં ખાનગી વાહનો કરી અને જવાનો વારો આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...