Wednesday, January 14, 2026

વરસાદથી અસરગ્રસ્તોની વહારે જવા પાટીલનો ભાજપ કાર્યકર્તાઓને આદેશ

spot_img
Share

મદાવાદ : ગુજરાતમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદ અને મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને મદદ કરવા માટે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો સાંસદો જિલ્લા પ્રમુખો અને આગેવાનો સહિત કાર્યકર્તાઓને પ્રભાવિત વિસ્તારમાં પહોંચી જવાના આદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીલે કર્યા છે અને ટ્વીટર માધ્યમથી આદેશ કર્યો છે

તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિઓએ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચીને સ્થાનિકોને પડતી મુશ્કેલીમાં મદદરૂપ થાય અને જરૂર પડે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો તાત્કાલિક સંપર્ક કરવા માટે જણાવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદથી મોટાભાગના વિસ્તારો પ્રભાવિત થયા છે તો બીજી તરફ નાગરિકોને મદદરૂપ થવા તેમજ વહીવટી તંત્રને સહયોગ મળે

તે હેતુથી રાજ્યના ભારે વરસાદથી પ્રભાવિત બનેલા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો સાંસદો જિલ્લા પ્રમુખો અને આગેવાનો સહિત કાર્યકર્તાઓ પ્રભાવિત વિસ્તારમાં ફિલ્ડ ઉપર પહોંચી જાય અને કાર્યરત થાય તેવી સ્પષ્ટ સુચના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ટ્વીટર થી આપી છે. અને આદેશ કર્યો છે કે વ્યાપક વરસાદથી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ માટે ભાજપનો કાર્યકર મદદરૂપ થાય અને જરૂર જણાય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નો તાત્કાલિક સંપર્ક કરે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...