Tuesday, February 10, 2026

ગેરકાયદે ઇમારતોને રેગ્યુલરાઈઝ કરવા ફરી ઇમ્પેક્ટ ફી કાયદો લાવવા તૈયારી

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાના ચૂંટણી વર્ષમાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો સળગ્યો છે ત્યારે ભાજપને માટે કોઇ વિપરીત પ્રત્યાઘાતો ન સર્જાય તેની કાળજી રાખીને રાજ્ય સરકાર ફરી એક વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ પાડીને ગેરકાયદે ઇમારતોને ગેરકાયદેસર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ માટે તૂર્તમાં વટહુકમ જારી કરવામાં આવશે તેવા નિર્દેશ સાંપડ્યા છે.

મિલકત નિર્માણમાં જીડીસીઆરના નિયમોનો ભંગ કરનાર અને કમ્પ્લીશન સર્ટિફીકેટ નહીં મેળવનારા મિલકત માલિકોને રાહત આપવાના ઇરાદે અને તેઓના બાંધકામ કાયદેસર કરી જ દેવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર વટહુકમ લાવશે. અદાલતમાં જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ખુદ રાજ્ય સરકારે જ કબૂલ્યું હતું કે 85 ટકા ઇમારતોમાં કમ્પ્લીશન નિયમોનો ભંગ થયેલો છે. પ્રાપ્ત એક રિપોર્ટ મુજબ ઇમ્પેક્ટ ફી વસૂલીને ગેરકાયદે ઇમારતોને કાયદેસરતા આપવા માટે રાજ્ય સરકારે મુસદ્દો તૈયાર કરી લીધો છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં જ એ જાહેર કરી દેવામાં આવશે.

ભૂતકાળમાં પણ બે વખત રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી વસૂલીને ગેરકાયદે ઇમારતોને કાયદેસરતા આપી છે અને હવે ત્રીજી વખત આ પ્રકારનો કાયદો લાગુ કરવાની તૈયારી છે. આ પૂર્વે 2001 અને 2011માં ઇમ્પેક્ટ ફી કાયદો લાગુ કરીને ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ ગેરકાયદે બાંધકામો ચાલુ રહેતા રાજ્ય સરકાર ફરી વખત તેને કાયદેસર કરવાની તૈયારીમાં છે. રાજ્યમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી છે તેને લક્ષમાં રાખીને જ ઇમ્પેક્ટ ફી કાયદો લાવવાની વિચારણા હોવાનું મનાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...