Wednesday, January 14, 2026

ગેરકાયદે ઇમારતોને રેગ્યુલરાઈઝ કરવા ફરી ઇમ્પેક્ટ ફી કાયદો લાવવા તૈયારી

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાના ચૂંટણી વર્ષમાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો સળગ્યો છે ત્યારે ભાજપને માટે કોઇ વિપરીત પ્રત્યાઘાતો ન સર્જાય તેની કાળજી રાખીને રાજ્ય સરકાર ફરી એક વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ પાડીને ગેરકાયદે ઇમારતોને ગેરકાયદેસર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ માટે તૂર્તમાં વટહુકમ જારી કરવામાં આવશે તેવા નિર્દેશ સાંપડ્યા છે.

મિલકત નિર્માણમાં જીડીસીઆરના નિયમોનો ભંગ કરનાર અને કમ્પ્લીશન સર્ટિફીકેટ નહીં મેળવનારા મિલકત માલિકોને રાહત આપવાના ઇરાદે અને તેઓના બાંધકામ કાયદેસર કરી જ દેવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર વટહુકમ લાવશે. અદાલતમાં જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ખુદ રાજ્ય સરકારે જ કબૂલ્યું હતું કે 85 ટકા ઇમારતોમાં કમ્પ્લીશન નિયમોનો ભંગ થયેલો છે. પ્રાપ્ત એક રિપોર્ટ મુજબ ઇમ્પેક્ટ ફી વસૂલીને ગેરકાયદે ઇમારતોને કાયદેસરતા આપવા માટે રાજ્ય સરકારે મુસદ્દો તૈયાર કરી લીધો છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં જ એ જાહેર કરી દેવામાં આવશે.

ભૂતકાળમાં પણ બે વખત રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી વસૂલીને ગેરકાયદે ઇમારતોને કાયદેસરતા આપી છે અને હવે ત્રીજી વખત આ પ્રકારનો કાયદો લાગુ કરવાની તૈયારી છે. આ પૂર્વે 2001 અને 2011માં ઇમ્પેક્ટ ફી કાયદો લાગુ કરીને ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ ગેરકાયદે બાંધકામો ચાલુ રહેતા રાજ્ય સરકાર ફરી વખત તેને કાયદેસર કરવાની તૈયારીમાં છે. રાજ્યમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી છે તેને લક્ષમાં રાખીને જ ઇમ્પેક્ટ ફી કાયદો લાવવાની વિચારણા હોવાનું મનાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...