Sunday, November 9, 2025

ગેરકાયદે ઇમારતોને રેગ્યુલરાઈઝ કરવા ફરી ઇમ્પેક્ટ ફી કાયદો લાવવા તૈયારી

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાના ચૂંટણી વર્ષમાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો સળગ્યો છે ત્યારે ભાજપને માટે કોઇ વિપરીત પ્રત્યાઘાતો ન સર્જાય તેની કાળજી રાખીને રાજ્ય સરકાર ફરી એક વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ પાડીને ગેરકાયદે ઇમારતોને ગેરકાયદેસર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ માટે તૂર્તમાં વટહુકમ જારી કરવામાં આવશે તેવા નિર્દેશ સાંપડ્યા છે.

મિલકત નિર્માણમાં જીડીસીઆરના નિયમોનો ભંગ કરનાર અને કમ્પ્લીશન સર્ટિફીકેટ નહીં મેળવનારા મિલકત માલિકોને રાહત આપવાના ઇરાદે અને તેઓના બાંધકામ કાયદેસર કરી જ દેવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર વટહુકમ લાવશે. અદાલતમાં જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ખુદ રાજ્ય સરકારે જ કબૂલ્યું હતું કે 85 ટકા ઇમારતોમાં કમ્પ્લીશન નિયમોનો ભંગ થયેલો છે. પ્રાપ્ત એક રિપોર્ટ મુજબ ઇમ્પેક્ટ ફી વસૂલીને ગેરકાયદે ઇમારતોને કાયદેસરતા આપવા માટે રાજ્ય સરકારે મુસદ્દો તૈયાર કરી લીધો છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં જ એ જાહેર કરી દેવામાં આવશે.

ભૂતકાળમાં પણ બે વખત રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી વસૂલીને ગેરકાયદે ઇમારતોને કાયદેસરતા આપી છે અને હવે ત્રીજી વખત આ પ્રકારનો કાયદો લાગુ કરવાની તૈયારી છે. આ પૂર્વે 2001 અને 2011માં ઇમ્પેક્ટ ફી કાયદો લાગુ કરીને ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ ગેરકાયદે બાંધકામો ચાલુ રહેતા રાજ્ય સરકાર ફરી વખત તેને કાયદેસર કરવાની તૈયારીમાં છે. રાજ્યમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી છે તેને લક્ષમાં રાખીને જ ઇમ્પેક્ટ ફી કાયદો લાવવાની વિચારણા હોવાનું મનાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...