Wednesday, November 19, 2025

પાલડીના જૈન દેરાસરમાં CCTV સ્વીચ બંધ કરી પૂજારી અને સફાઈ કર્મચારી ઉપાડી ગયા 1.64 કરોડનું ચાંદી

spot_img
Share

અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં “ઘર ફૂટે ઘર જાય” જેવી ઘટના બની હતી. જેમાં શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, શાંતિવન ના દેરાસરમાં એક ચૌંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં અંદાજે 1 કરોડ 64 લાખ ની કિંમતની 117 કિલોથી વધુ ચાંદીની મત્તા ગાયબ થઈ ગઈ છે. આ ચોરીમાં મંદિરના જ પૂજારી, સફાઈ કર્મચારી અને તેની પત્નીની સંડોવણી હોવાનું CCTV ફૂટેજ અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાલડી વિસ્તારમાં આવેલા ન્યૂપીનલ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં મેહુલ રાઠોડ (રહે, નંદધામ એપાર્ટમેન્ટ, વાસણા), કિરણ વાઘરી (રહે, હરિચંચલ ફ્લેટ, પાલડી) અને પુરી ઉર્ફે હેતલ વાઘરી વિરુદ્ધ 1.64 કરોડની ચોરીની ફરિયાદ કરી છે. રાજેશ શાહ સંયુક્ત પરિવારમાં રહે છે અને માણેકચોક ખાતે આવેલી રાજ ઓર્નામેન્ટ નામની શોપ ધરાવીને ધંધો કરે છે. આ સિવાય રાજેશ શાહ પાલડી ખાતે આવેલી શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 14 વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.

ફરિયાદની વિગતો અનુસાર, આ ચોરીની ઘટના 27/07/2023 થી 08/10/2025 દરમિયાન બની હોવાનું માનવામાં આવે છે. 8 તારીખના રોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે સેક્રેટરી રાજેશ શાહ અને અન્ય ટ્રસ્ટી અલ્પેશ પરીખ ભગવાન શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની આંગી (ચાંદીનું ખોયું) લોકરવાળા ભોંયરામાં મૂકવા જતાં તે મળી આવી ન હતી.આથી આ અંગે ટ્રસ્ટના અન્ય સભ્યોને જાણ કરવામાં આવતા સભ્યો દેરાસર આવી ગયેલા અને ભગવાનને ચઢાવવામાં આવેલ આંગીની ચોરી થઈ હોવાનું જાણવા મળતા તેમણે લોકરવાળા ભોંયરામાં અન્ય કિમંતી ચીજવસ્તુની ચોરી થયેલ છે કે કેમ? તે અંગે તપાસ કરી હતી અને આ દરમિયાન દેરાસરના ગર્ભગૃહમાંથી અને ભોંયરામાં રાખેલા ચાંદીના પુંઠીયા (શણગારની પ્લેટો), ભગવાન શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની ચાંદીની આંગી, મુગટ અને કુંડળ સહિત કુલ 117કિલો 336 ગ્રામ ચાંદી ગાયબ થઈ ગઈ હતી. જેની કુલ કિંમત 1,64,11,240/- આંકવામાં આવી છે.

ત્યારબાદ ફરિયાદી અને ટ્રસ્ટના સભ્યો દ્વારા CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો, દેરાસરના પૂજારી મેહુલ હરીસિંહ રાઠોડ તા. 08/10/2025 ના રોજ બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં CCTV કેમેરાની મુખ્ય ઇલેક્ટ્રિક સ્વિચ બંધ કરતા અને સાંજે સવા પાંચ વાગ્યે ફરીથી ચાલુ કરતા જોવા મળ્યો હતો. આ અંગે તેના સગા મોટાભાઇ અને દેરાસરના અન્ય પુજારી દિનેશ હરીસિંહ રાઠોડને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પુજારી મેહુલ હરીસિંહ રાઠોડ તા: 09 ઓકટોબરથી સવારના સાડા 6 વાગ્યે દેરાસરથી ક્યાંક જતો રહ્યો છે અને હજી સુધી પરત આવ્યો નથી.

તે ઉપરાંત આ ચોરીમાં સફાઈ કર્મચારીની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું. દેરાસરમાં સફાઈ કામ કરતા કિરણ તથા તેની પત્ની પુરીબેન ઉર્ફે હેતલબેન વાધરી પણ કામ પર હાજર નથી અને ટ્રસ્ટના ફ્લેટમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ દંપતીનો સંયુક્ત પગાર માત્ર દસ હજાર હોવા છતાં, તેઓએ થોડા સમય પહેલાં જ વિસનગર ખાતે એક ટેનામેન્ટ મકાન અને એક મહિન્દ્રા પીક-અપ ફોર વ્હીલર ખરીદ્યું હતું.

લોકરવાળા ભોંયરાની ચાવીઓ પૂજારી મેહુલ રાઠોડ અને તેના ભાઈ દિનેશ રાઠોડ પાસે રહેતી હતી. પોલીસને શંકા છે કે પૂજારી મેહુલ રાઠોડે સફાઈ કર્મચારી કિરણ અને તેની પત્ની પુરીબેનની મદદગારીથી આ કરોડો રૂપિયાની ચાંદીની મત્તાની ચોરી કરી છે. પાલડી પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...