Wednesday, February 11, 2026

પાલડીના જૈન દેરાસરમાં CCTV સ્વીચ બંધ કરી પૂજારી અને સફાઈ કર્મચારી ઉપાડી ગયા 1.64 કરોડનું ચાંદી

spot_img
Share

અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં “ઘર ફૂટે ઘર જાય” જેવી ઘટના બની હતી. જેમાં શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, શાંતિવન ના દેરાસરમાં એક ચૌંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં અંદાજે 1 કરોડ 64 લાખ ની કિંમતની 117 કિલોથી વધુ ચાંદીની મત્તા ગાયબ થઈ ગઈ છે. આ ચોરીમાં મંદિરના જ પૂજારી, સફાઈ કર્મચારી અને તેની પત્નીની સંડોવણી હોવાનું CCTV ફૂટેજ અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાલડી વિસ્તારમાં આવેલા ન્યૂપીનલ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં મેહુલ રાઠોડ (રહે, નંદધામ એપાર્ટમેન્ટ, વાસણા), કિરણ વાઘરી (રહે, હરિચંચલ ફ્લેટ, પાલડી) અને પુરી ઉર્ફે હેતલ વાઘરી વિરુદ્ધ 1.64 કરોડની ચોરીની ફરિયાદ કરી છે. રાજેશ શાહ સંયુક્ત પરિવારમાં રહે છે અને માણેકચોક ખાતે આવેલી રાજ ઓર્નામેન્ટ નામની શોપ ધરાવીને ધંધો કરે છે. આ સિવાય રાજેશ શાહ પાલડી ખાતે આવેલી શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 14 વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.

ફરિયાદની વિગતો અનુસાર, આ ચોરીની ઘટના 27/07/2023 થી 08/10/2025 દરમિયાન બની હોવાનું માનવામાં આવે છે. 8 તારીખના રોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે સેક્રેટરી રાજેશ શાહ અને અન્ય ટ્રસ્ટી અલ્પેશ પરીખ ભગવાન શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની આંગી (ચાંદીનું ખોયું) લોકરવાળા ભોંયરામાં મૂકવા જતાં તે મળી આવી ન હતી.આથી આ અંગે ટ્રસ્ટના અન્ય સભ્યોને જાણ કરવામાં આવતા સભ્યો દેરાસર આવી ગયેલા અને ભગવાનને ચઢાવવામાં આવેલ આંગીની ચોરી થઈ હોવાનું જાણવા મળતા તેમણે લોકરવાળા ભોંયરામાં અન્ય કિમંતી ચીજવસ્તુની ચોરી થયેલ છે કે કેમ? તે અંગે તપાસ કરી હતી અને આ દરમિયાન દેરાસરના ગર્ભગૃહમાંથી અને ભોંયરામાં રાખેલા ચાંદીના પુંઠીયા (શણગારની પ્લેટો), ભગવાન શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની ચાંદીની આંગી, મુગટ અને કુંડળ સહિત કુલ 117કિલો 336 ગ્રામ ચાંદી ગાયબ થઈ ગઈ હતી. જેની કુલ કિંમત 1,64,11,240/- આંકવામાં આવી છે.

ત્યારબાદ ફરિયાદી અને ટ્રસ્ટના સભ્યો દ્વારા CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો, દેરાસરના પૂજારી મેહુલ હરીસિંહ રાઠોડ તા. 08/10/2025 ના રોજ બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં CCTV કેમેરાની મુખ્ય ઇલેક્ટ્રિક સ્વિચ બંધ કરતા અને સાંજે સવા પાંચ વાગ્યે ફરીથી ચાલુ કરતા જોવા મળ્યો હતો. આ અંગે તેના સગા મોટાભાઇ અને દેરાસરના અન્ય પુજારી દિનેશ હરીસિંહ રાઠોડને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પુજારી મેહુલ હરીસિંહ રાઠોડ તા: 09 ઓકટોબરથી સવારના સાડા 6 વાગ્યે દેરાસરથી ક્યાંક જતો રહ્યો છે અને હજી સુધી પરત આવ્યો નથી.

તે ઉપરાંત આ ચોરીમાં સફાઈ કર્મચારીની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું. દેરાસરમાં સફાઈ કામ કરતા કિરણ તથા તેની પત્ની પુરીબેન ઉર્ફે હેતલબેન વાધરી પણ કામ પર હાજર નથી અને ટ્રસ્ટના ફ્લેટમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ દંપતીનો સંયુક્ત પગાર માત્ર દસ હજાર હોવા છતાં, તેઓએ થોડા સમય પહેલાં જ વિસનગર ખાતે એક ટેનામેન્ટ મકાન અને એક મહિન્દ્રા પીક-અપ ફોર વ્હીલર ખરીદ્યું હતું.

લોકરવાળા ભોંયરાની ચાવીઓ પૂજારી મેહુલ રાઠોડ અને તેના ભાઈ દિનેશ રાઠોડ પાસે રહેતી હતી. પોલીસને શંકા છે કે પૂજારી મેહુલ રાઠોડે સફાઈ કર્મચારી કિરણ અને તેની પત્ની પુરીબેનની મદદગારીથી આ કરોડો રૂપિયાની ચાંદીની મત્તાની ચોરી કરી છે. પાલડી પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...