Thursday, September 18, 2025

ન્યૂ ગોતામાં ધોળે દિવસે 10 વર્ષનાં બે બાળકના અપહરણનો પ્રયાસ, લોકોમાં ભયનો માહોલ

Share

Share

અમદાવાદ : ગત રવિવારે ન્યૂ ગોતા વિસ્તારમાં સવારે 10 વર્ષની છોકરી અને 10 વર્ષના છોકરાના અપહરણના પ્રયાસની ઘટના બની હતી. બંને ઘટનામાં લોકો ભેગા થઇ જતા અપહરણકારોને સફળતા મળી ન હતી. જ્યારે છોકરાનું અપહરણ કરવા આવેલી ટોળકીના એક સભ્યને લોકોએ પકડીને માર મારીને પોલીસને સોંપી દીધો હતો. છોકરીના અપહરણના પ્રયાસમાં ઈકો ગાડીમાં આવેલા 2 માણસ ભાગી ગયા હતા. એક દિવસમાં 2 બાળકોના અપહરણના પ્રયાસની ઘટનાથી લોકોમાં ભય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ન્યૂ ગોતાની એક સોસાયટીમાં રહેતી 10 વર્ષની છોકરી કોલ્ડડ્રિંક્સ લેવા બહાર નીકળી હતી. તે પાછી સોસાયટીમાં આવી રહી હતી, ત્યારે ગાડીમાં આવેલા 2 માણસોએ તેનો હાથ ખેંચી ગાડીમાં ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ છોકરીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા જતા બંને અપહરણકારો છોકરીને ત્યાં જ છોડી દઈ ભાગી ગયા હતા. છોકરી જીવ બચાવવા દુકાનમાં છુપાઈ ગઈ હતી.

જ્યારે બીજી બાજુ આ જ સમયે ન્યૂ ગોતામાં આવેલા હનુમાન મંદિર પાસે આવેલી એક ટોળકીએ 10 વર્ષના છોકરાના અપહરણનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં છોકરાએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ જતા એક આરોપી પકડાયો હતો. તેની સ્થાનિક રહીશોએ અસહ્ય ધોલાઈ કરીને સોલા પોલીસને સોંપી દીધો હતો. આ બંને ઘટનામાં કોઈએ ફરિયાદ આપી નહીં હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અપહરણના પ્રયાસની બે ઘટનાના અંગે ગોતા, સોલા, સાયન્સ સિટી, ચાંદલોડિયા, ચાણકયપુરી, એસજી હાઈવે સહિતની સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી સોસાયટીઓના વોટસએપ ગ્રૂપમાં મેસેજ વહેતા થયા હતા. જેના કારણે બાળકોને એકલા સોસાયટીની બહાર નહીં જવા દેવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ સોસાયટીમાં આવતા દરેકની મેઈન ગેટ ઉપર રજિસ્ટરમાં એન્ટ્રી કરવા સિક્યુરિટીને કહેવાયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...