Thursday, January 15, 2026

અમદાવાદીઓ માટે અગત્યના સમાચાર, સુભાષબ્રિજ હજુ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે, વાડજ પાસેનો રસ્તો પહોળો કરવા આદેશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદનો મહત્ત્વપૂર્ણ એવો સુભાષબ્રિજ તેના નિર્માણ બાદ ચાલી રહેલી ટેસ્ટિંગની કામગીરીને કારણે હજુ એક અઠવાડિયા સુધી બંધ રહેશે.જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન વાડજ સર્કલ ખાતે ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે અને વાહનચાલકો ટ્રાફિક જામથી પરેશાન છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક ખુદ વાડજ સર્કલ ખાતે પહોંચ્યા હતા અને ટ્રાફિકની સમસ્યા તથા તેના નિરાકરણ માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.ટ્રાફિક સમસ્યા અંગે જણાવ્યું હતું કે, ‘સુભાષબ્રિજ બંધ થયા પછી ટ્રાફિકના ઈશ્યુ વધ્યા છે, જેમાં વાડજ સર્કલ નજીક સૌથી વધુ મશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે બ્રિજનું નિરીક્ષણ કરીને ત્યાં હાજર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી છે કે રોડને સાંકડો કરનારા જે થોડા રેસ્ટિક્શન રાખ્યા છે, તેને 24 કલાકની અંદર હટાવી લેવામાં આવે જેથી રોડ થોડો પહોળો થઈ જશે અને ટ્રાફિક હળવો થશે.’

ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અંગે પોલીસ કમિશનર જી. એસ. માલિકે જણાવ્યું કે, ‘જૂના વાડજ બ્રિજની આસપાસ જે બેરીકેડ અને પતરાં લગાડ્યા છે અને જેનું કામ પૂરું થઈ ગયું છે, તે પતરાંને પણ 24 કલાકની અંદર હટાવી લેવામાં આવશે, જેથી ટ્રાફિક ઇઝી જઈ શકે. વચ્ચે રાખેલા બેરીકેડ પણ દૂર કરવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે, તેઓ રેગ્યુલર પોલીસ સ્ટેશનમાંથી 250 પોલીસકર્મીને આજે જ ટ્રાફિક માટે ઓર્ડર કરવાના છે. 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનોમાંથી અમુક પોલીસ સ્ટેશનોને ઓર્ડર આપવામાં આવશે, જેની લિસ્ટ તૈયાર થઈ ગઈ છે, અને આ 250 લોકો માત્ર આટલા એરિયાની અંદર જ તહેનાત થશે.’

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજની સુરક્ષા અને ગુણવત્તા તપાસવાની આ કામગીરી આગામી 15 ડિસેમ્બર, 2025 સુધી ચાલવાની છે. સુભાષબ્રિજ પરના ટ્રાફિકને ફરીથી શરૂ કરતા પહેલા તેના માળખાકીય ગુણવત્તાની સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે. આ મહત્ત્વપૂર્ણ કામગીરી માટે ત્રણ અલગ-અલગ એજન્સીઓ અને કન્સલ્ટન્ટ્સની ટીમ કામે લાગેલી છે. આ નિષ્ણાતો દ્વારા બ્રિજના વિવિધ ભાગોના ટેસ્ટિંગ અને વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ, એક અઠવાડિયા સુધી બ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટની કામગીરી અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. એ તમામ એજન્સીઓનાં સૂચનો અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...