Friday, April 24, 2026

અમદાવાદના આ દંપતીના છૂટાછેડાનું કારણ જાણી તમે પણ ચોંકી જશો, 11 વર્ષના લગ્નજીવનનો અંત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં છૂટાછેડાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે એક દંપતીના 11 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો. લસણ-ડુંગળીના કારણે દંપતીમાં શરૂ થયેલો વિખવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. પતિને પત્નીના ભોજનને લગતાં નિયંત્રણો સ્વીકાર્ય નહોતા. ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના નિર્ણયને પડકારતી પત્નીને અપીલ ફગાવી દીધી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારી પત્ની ડુંગળી અને લસણ ખાવાથી સખત રીતે દૂર રહેતી હતી. જ્યારે તેના પતિ અને સાસરિયાની માન્યતાઓમાં આવા કોઈ આહાર પ્રતિબંધ નહોતા. કપલે 2002માં લગ્ન કર્યા હતા. પરંતુ લસણ-ડુંગળીના કારણે લગ્નના થોડા જ સમયમાં તકરાર શરૂ થઈ ગઈ હતી.

પત્ની નિયમિતપણે પ્રાર્થનાસભામાં હાજરી આપતી હતી અને સંપ્રદાયના ડુંગળી અને લસણ ન ખાવાના નિયમને અનુસરતી હતી. તેના પતિ અને સાસુ તેમની રસોઈની આદતો બદલવા માંગતા નહોતા. જેના પરિણામે, તેમના માટે અલગ રસોઈની વ્યવસ્થા કરવી પડતી હતી. રોજબરોજની તકરારના કારણે પત્ની બાળક સાથે તેના પિયરમાં જતી રહી હતી.

2013માં, પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી, જેમાં પત્ની પર ક્રૂરતા અને ત્યજી દેવાનો આરોપ મૂક્યો હતો. 8 મે, 2024ના રોજ, ફેમિલી કોર્ટે લગ્નને રદ કર્યા અને પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આનાથી બંને હાઈ કોર્માં પહોંચ્યા હતા, જેમાં પતિએ ભરણપોષણના આદેશ પર સવાલ ઉઠાવ્યા અને પત્નીએ છૂટાછેડાને પડકાર્યા, સાથે જ ભરણપોષણના આદેશનો અમલ કરાવવાની પણ માંગ કરી હતી.

પત્નીના વકીલે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે ફેમિલી કોર્ટમાં તેના પતિએ રજૂ કરેલો કેસ એ હતો કે તેની ધાર્મિક માન્યતા દ્વારા સંચાલિત ભોજનની પસંદગીઓના કારણે ઝઘડાઓ થતા હતા. પતિએ ફેમિલી કોર્ટને જણાવ્યું હતું કે તે કડક રીતે વર્તી રહી હતી, અને ફેમિલી કોર્ટે તેના દાવાઓને સ્વીકાર્યા હતા. પતિના વકીલે દલીલ કરી હતી કે તેના અસીલ અને તેની માતા પત્ની માટે ડુંગળી અને લસણ વગરનું ભોજન બનાવતા હતા.

પતિએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે ડુંગળી અને લસણનો વપરાશ બંને વચ્ચે મતભેદોનું મુખ્ય કારણ હતું. તેણે કહ્યું કે પત્નીની રૂઢિચુસ્તતાના કારણે તેને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરવો પડ્યો હતો અને તેના કારણે પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. મહિલાએ ફરિયાદ કરી કે પતિ ભરણપોષણ ચૂકવી રહ્યો નથી. પતિ બાકીની રકમ હપ્તાઓમાં કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવા માટે સંમત થયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...