Tuesday, March 3, 2026

જાન્યુઆરીમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2026 નું આયોજન, જાણો આ વર્ષે કઈ થીમો જોવા મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં જાન્યુઆરી 2026 માં યોજાનાર ફ્લાવર શોની થીમ દેશ અને તેના ઇતિહાસને જોડતી હશે. ફ્લાવર શો 2026નું આયોજન ભારત એક ગાથા થીમ પર કરવામાં આવશે.શો માટે બનાવેલા ફૂલોના સ્કલ્પ્ચર આપણા ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા હોય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવશે. ફ્લાવર શોમાં વિવિધ તહેવારોની ઝલક જોવા મળશે. જે ખાસ કરીને ભારત એક ગાથા થીમ પર રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે ભારત એક ગાથાની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. અલગ અલગ ઝોન રહેશે અને આ અલગ અલગ ઝોનની અંદર ભારતના ઉત્સવ, ભારતના નાટ્ય સંસ્કૃતિ, સરદાર પટેલની 150મી જન્મ જયંતી, વિવિધ ભાષાઓના ઉત્સવ. કોમનવેલ્થ ગેમ્સ, અને દેશને લગતા સારા પ્રયાસોને આ ફ્લાવર શો ઉજાગર કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોની તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે.જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આ ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે.

દર વર્ષે ફ્લાવર શોમાં 1.5 મિલિયન છોડ હોય છે, આમાં ભારતના વિવિધ રાજ્યો તેમ જ વિદેશથી લાવવામાં આવતા વિશેષ પ્રકારના ફૂલો અને છોડનો સમાવેશ થાય છે. વર્ષ 2025માં 15 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને આ વખતે પહેલીવાર લોકોને આ ઇસક્લપ્ચર દ્વારા ભારતના ગૌરવશાળી ઇતિહાસને જોવાનો મોકો મળશે. જેમાં ઓપરેશન સિંદૂર સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓ અને દેશ અને ગુજરાતના મુખ્ય પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...