Thursday, January 15, 2026

જાન્યુઆરીમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2026 નું આયોજન, જાણો આ વર્ષે કઈ થીમો જોવા મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં જાન્યુઆરી 2026 માં યોજાનાર ફ્લાવર શોની થીમ દેશ અને તેના ઇતિહાસને જોડતી હશે. ફ્લાવર શો 2026નું આયોજન ભારત એક ગાથા થીમ પર કરવામાં આવશે.શો માટે બનાવેલા ફૂલોના સ્કલ્પ્ચર આપણા ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા હોય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવશે. ફ્લાવર શોમાં વિવિધ તહેવારોની ઝલક જોવા મળશે. જે ખાસ કરીને ભારત એક ગાથા થીમ પર રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે ભારત એક ગાથાની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. અલગ અલગ ઝોન રહેશે અને આ અલગ અલગ ઝોનની અંદર ભારતના ઉત્સવ, ભારતના નાટ્ય સંસ્કૃતિ, સરદાર પટેલની 150મી જન્મ જયંતી, વિવિધ ભાષાઓના ઉત્સવ. કોમનવેલ્થ ગેમ્સ, અને દેશને લગતા સારા પ્રયાસોને આ ફ્લાવર શો ઉજાગર કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોની તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે.જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આ ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે.

દર વર્ષે ફ્લાવર શોમાં 1.5 મિલિયન છોડ હોય છે, આમાં ભારતના વિવિધ રાજ્યો તેમ જ વિદેશથી લાવવામાં આવતા વિશેષ પ્રકારના ફૂલો અને છોડનો સમાવેશ થાય છે. વર્ષ 2025માં 15 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને આ વખતે પહેલીવાર લોકોને આ ઇસક્લપ્ચર દ્વારા ભારતના ગૌરવશાળી ઇતિહાસને જોવાનો મોકો મળશે. જેમાં ઓપરેશન સિંદૂર સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓ અને દેશ અને ગુજરાતના મુખ્ય પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...