Thursday, January 15, 2026

જુનાવાડજ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સાત નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં શહેરના જુનાવાડજના સૌરાબજી કમ્પાઉન્ડ ખાતે વાડજ વાગડ ચોર્યાસી સમાજ દ્વારા સ્વર્ગસ્થ અરવિંદભાઈ રામજીભાઈ રાઠોડ (મામુ) પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાત નવ યુગલો એક સાથે લગ્નગ્રંથિ જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, જુના વાડજના સૂર્યલોક ટાવર પાસે આવેલ વાડજ વાગડ ચોર્યાસી સમાજ દ્વારા સ્વર્ગસ્થ અરવિંદભાઈ રામજીભાઈ રાઠોડ (મામુ)ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાત જેટલા નવયુગલોએ સંપૂર્ણ શાસ્ત્રોત વિધિ અનુસાર ગાયત્રી પરિવાર દ્વારા મંગળફેરા દ્વારા પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે નવ યુગલોને આશીર્વાદ આપવા રાજ્ય કક્ષા મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ તથા સ્થાનિક કોર્પોરેટરો તેમજ બજરંગ દળના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ તથા જવલીતભાઈ મહેતા તેમજ બીજા અન્ય મહાનુભાવોએ હાજર રહી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ સમૂહ લગ્ન પ્રસંગે નવયુગલોને દાતાઓશ્રીના સહયોગથી ટીવી, પલંગ, તિજોરી અને સોફા સહિત ઘરવખરીની તમામ ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...