Thursday, March 5, 2026

નારણપુરામાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રિપલ અકસ્માત, બેફામ કારે એક્ટિવા અને રિક્ષાને ઉડાવ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વધુ એક વખત પુરપાટ ઝડપે દોડતા વાહને અકસ્માત સર્જ્યો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાઈડમાં આવેલા કારચાલકે અકસ્માત સર્જી ત્રણ વાહનને અડફેટે લીધાં હતાં, જેમાં એક એક્ટિવાચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં કારચાલક રોંગસાઈડમાં પૂરપાટઝડપે કાર દોડાવતો જોવા મળી રહ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરામાં ગઈકાલે સાંજે મીરામ્બિકા રોડ પર આવેલી ભાવિન ગર્લ્સ હોસ્ટેલ નજીકથી એક ઈનોવા કાર ચાલક અતિશય ઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામે આવતા એક્ટિવા ચાલક તેમજ એક રિક્ષાને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાની આખી દિશા બદલાઈ ગઈ હતી અને તેમાં સવાર મુસાફરો પણ ફફડી ઉઠ્યા હતા.

આ જોરદાર ટક્કરને કારણે એક્ટિવા ચાલક રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ એક્ટિવા ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ઈનોવા કારના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે કે અકસ્માત સમયે કાર ચાલક નશામાં હતો કે કેમ અથવા અન્ય કોઈ કારણસર આ અકસ્માત સર્જાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...