Saturday, January 24, 2026

અમદાવાદમાં ફ્લાવર શોમાં જતા પહેલા આ બાબતનું રાખો ખાસ ધ્યાન, AMCએ જાહેર કર્યા નવા નિયમો

spot_img
Share

અમદાવાદ : AMC આગામી સમયમાં યોજાઈ રહેલા ફ્લાવર શો ને લઈ નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં મુલાકાતીઓના પ્રવેશ સમય અને સ્લોટ્સની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ભીડને નિયંત્રિત કરવા અને મુલાકાતીઓનો અનુભવ વધુ યાદગાર બનાવવા માટે તંત્રએ સમયપત્રકમાં ખાસ ફેરફારો કર્યા છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીના રોજ સવારથી ફ્લાવર શો યોજાવવાનો છે. જે ફ્લાવર શો જોવા માટે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 80 જ્યારે શનિ-રવિ તેમજ જાહેર રજાઓમાં રૂપિયા 100 ટિકિટ નક્કી કરી છે. અટલબ્રિજ અને ફ્લાવર શો કોમ્બો ટિકિટ પણ મેળવી શકાશે.

ફ્લાવર શો સામાન્ય જનતા માટે સવારે 9:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ સમય દરમિયાન મુલાકાતીઓ નિર્ધારિત ટિકિટ દરો (સોમ-શુક્ર રૂ. 80 અને શનિ-રવિ રૂ. 100) ચૂકવીને પ્રવેશ મેળવી શકશે. 12 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે આ સમયગાળામાં એન્ટ્રી ઉપલબ્ધ રહેશે.

જે મુલાકાતીઓ ભીડભાડ વગર શાંતિથી ફ્લાવર શો નિહાળવા માંગતા હોય અથવા ફોટોગ્રાફીના શોખીન હોય, તેમના માટે AMC દ્વારા આ વર્ષે ખાસ VIP સ્લોટ્સ જાહેર કરવામાં આવ્યા છે.

સવારનો VIP સ્લોટ: સવારે 8:00 થી 9:00 વાગ્યા સુધી.
રાત્રિનો VIP સ્લોટ: રાત્રે 10:00 થી 11:00 વાગ્યા સુધી.
ફી: આ ખાસ સ્લોટમાં પ્રવેશ મેળવવા માટે વ્યક્તિ દીઠ 500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ સમય દરમિયાન મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવશે.

ઓનલાઇન ટિકિટિંગ અને એન્ટ્રી પ્રોસેસ

AMC દ્વારા એન્ટ્રી ગેટ પર લાઈનો ઘટાડવા માટે QR કોડ સ્કેનિંગ દ્વારા ટિકિટ બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ ઓનલાઇન ટિકિટ બુક કરતી વખતે જ પોતાનો સમય પસંદ કરી શકશે. ઓનલાઇન ટિકિટ મોબાઈલ પર બતાવીને સીધો જ ગેટ પરથી પ્રવેશ મેળવી શકાશે.

રાત્રે 10:00 વાગ્યા પછી સામાન્ય મુલાકાતીઓ માટે એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે.
જે મુલાકાતીઓએ કોમ્બો ટિકિટ લીધી હશે, તેમને જ ફ્લાવર શોથી અટલ બ્રિજ તરફ જવા દેવામાં આવશે.
રવિવાર અને જાહેર રજાઓના દિવસે ભીડ વધવાની શક્યતા હોવાથી મુલાકાતીઓને વહેલા આવવા અથવા ઓનલાઇન ટિકિટ મેળવી લેવા તંત્રએ અપીલ કરી છે.

સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારે ટ્રાફિક અને ભીડના વ્યવસ્થાપન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...