Thursday, January 8, 2026

અમદાવાદનો વધુ એક જર્જરિત બ્રિજ તોડી પડાશે, જાણો વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ટ્રાફિકથી ધમધમતા સુભાષબ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક બ્રિજ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઔદ્યોગિક હબ ગણાતા વટવા GIDC વિસ્તારમાં ખારીકટ કેનાલ પર આવેલો વર્ષો જૂનો મચ્છુનગર બ્રીજ જર્જરિત થઈ જતાં તેને તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી 6 મહિના સુધી આ બ્રિજ બંધ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વટવામાં ખારીકટ કેનાલ પર આવેલો વર્ષો જૂનો મચ્છુનગર બ્રીજ જર્જરિત થઈ જતાં તેને તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાંધકામ પ્રક્રિયા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને આગામી 6 મહિના માટે આ માર્ગ બંધ રાખવા અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી.

23 મીટરની લંબાઈ ધરાવતો મચ્છુનગર બ્રીજ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહેતો હતો. આ બાબતને ધ્યાને રાખીને GIDC દ્વારા આ બ્રીજનું નવનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ માટે પહેલી જાન્યુઆરીથી 30મી જૂન 2026 સુધી તમામ પ્રકારના નાના-મોટા વાહનો માટે અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વૈકલ્પિક રૂટ
આ સમયગાળા દરમિયાન રામોલ ચાર રસ્તાથી અંબિકા ત્રણ રસ્તા (ત્રિકમપુરા પાટીયા) સુધીનો અંદાજે 200 મીટરનો રોડ બંધ રહેશે. વાહનચાલકોની સુવિધા માટે GIDCથી બહાર જતા વાહનો માટે જે વાહનો મચ્છુનગર અંદરના ભાગથી આવતા હોય, તેમણે રામોલ પોલીસ ચોકી થઈ હાથીજણ લાલગેબી સર્કલ તરફ જવાનું રહેશે. ત્યાંથી તેઓ ત્રિકમપુરા તરફના મુખ્ય માર્ગો પર જઈ શકશે. GIDC માં પ્રવેશતા વાહનો માટે જે બહારથી GIDCમાં આવવા માંગતા વાહનચાલકોએ ત્રિકમપુરા ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને અંદરના માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...