Saturday, January 17, 2026

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું, મકાનમાલિકોએ ભાડુઆતની વિગતો પોલીસને આપવી પડશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અનેક લોકો ભાડાના મકાનમાં રહે છે. શહેરમાં બહારગામથી નોકરી ધંધે આવનારા લોકો સ્થાઈ થયાં છે. ત્યારે શહેરમાં ભાડુઆતને મકાન ભાડે આપ્યા બાદ તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ભાડુઆતોને મકાન ભાડે આપતા પહેલા પોલીસ વેરિફિકેશન કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી દિવસોમાં આવી રહેલા મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિન, વસંત પંચમી અને મહાશિવરાત્રી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના તમામ મકાન, ઔદ્યોગિક એકમો, દુકાનો કે કોલ્ડ સ્ટોરેજના માલિકોએ ભાડુઆતનું નામ, કાયમી સરનામું, ફોટો, અને ઓળખના પુરાવા જેમ કે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાનકાર્ડ પોલીસને આપવાના રહેશે. આ ઉપરાંત, મકાન માલિક અને ભાડુઆત વચ્ચે સંપર્ક કરાવનાર મધ્યસ્થી કે એજન્ટની માહિતી પણ પુરાવા સાથે જમા કરાવવી પડશે, જેથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય. આ જાહેરનામું 27 ફેબ્રુઆરી સુધી એટલે કે 60 દિવસ માટે અમલમાં રહેશે.

આ જાહેરનામું 27 ફેબ્રુઆરી સુધી એટલે કે 60 દિવસ માટે અમલમાં રહેશે. જો કોઈ મકાનમાલિક કે સંચાલક આ આદેશનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીઓને આ નિયમનો ભંગ કરનારાઓ સામે ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો મુજબ, અસામાજિક કે આતંકવાદી તત્વો શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત રીતે આશરો લઈ જાહેર શાંતિનો ભંગ કરી શકે તેવી શક્યતા છે. આ જોખમને ટાળવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે હવેથી કોઈપણ મકાનમાલિક, ઓફિસ કે ગોડાઉન માલિકે ભાડુઆતની સંપૂર્ણ વિગત સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...