Monday, January 19, 2026

અમદાવાદમાં દબાણો સામે AMC કડક કાર્યવાહી, ત્રણ દિવસમાં સાત ઝોનમાં વ્યાપક એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ, રૂ.3.41 લાખથી વધુનો દંડ વસુલાત

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા, જાહેર રસ્તા તથા ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અને નાગરિકોની અવરજવર સરળ બને તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં સતત દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત તા. 31/12/2025, 01/01/2026 તથા 02/01/2026 દરમિયાન પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ, મધ્ય તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઝોનવાઇઝ વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી.

તા. 31 ડિસેમ્બર 2025ની વ્યાપક એન્ફોર્સમેન્ટ કામગીરી દરમિયાન કુલ કુલ રૂ. 1,66,900/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. નવાં વર્ષની શરૂઆતના દિવસે તા. 01 જાન્યુઆરી 2026 ના રોજ એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી કુલ રૂ. 88,800/- નો દંડ વસુલ થયો હતો. તા. 02 જાન્યુઆરી 2026 ના રોજ એસ્ટેટ વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આ દિવસે કુલ રૂ. 85,700/- નો દંડ વસુલવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...