Thursday, January 15, 2026

અમદાવાદથી અંતરિક્ષ સુધી ! 14 વર્ષની માહીને NASAનું રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની 14 વર્ષની દીકરી માહી ભટ્ટ અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની શાન વધારી છે. માહીએ છેલ્લા 6 મહિનાની અંદર વિવિધ સ્પેસ એજન્સીની જુનિયર સાયટીસ્ટની પરીક્ષા પાસ કરી છે. જે બાદ અમેરિકન અંતરિક્ષ સંશોધન સંસ્થા-NASAએ માહીને રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ આપ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વસ્ત્રાલની શારદાબા સ્કૂલમાં અભ્યાસ કરતી માહી ભટ્ટે અત્યાર સુધીમાં ઈસરો (ISRO), નાસા (NASA) અને યુરોપિયન સ્પેસ એજન્સી, ઓસ્ટ્રેલિયા સ્પેસ એજન્સી, યુએઈ સ્પેસ એજન્સી સહિતની 50 જેટલી નામાંકિત સંસ્થાઓની ‘જૂનિયર સાયન્ટિસ્ટ’ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે. નાસાના ‘સ્ટેમ (STEM) એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનીયરિંગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામ’માં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે માહીને અમેરિકાનું તેડું આવ્યું છે.

અમેરિકી સ્પેસ એજન્સી NASA દ્વારા માહીને વર્ચ્યુઅલ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ પણ ફાળવી દેવામાં આવ્યા છે, ત્યારે ભારતની આ દીકરી ટૂંક સમયમાં અમેરિકામાં નાસાના હેડક્વાર્ટર ખાતે રોકેટ લોન્ચિંગની સાક્ષી બની ઇતિહાસ રચશે. આ ક્ષણ ફક્ત મહિના પરિવાર કે અમદાવાદ માટે જ નહિ પણ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ બનશે.

અગાઉ ભારતની એક દીકરી કલ્પના ચાવલા NASA ના પ્રોજેકટ હેઠળ અંતરિક્ષમાં જઈ આવી છે. તે બાદ ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સે પણ ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે, ત્યારે હવે માહી ભટ્ટને NASA નું તેડું આવ્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતી 14 વર્ષની માહીએ સાબિત કર્યું છે કે જ્ઞાનની ભૂખ હોય તો આસપાસના પરિબળો અવરોધરૂપ બની શકતા નથી.

અમદાવાદની માહીની સિદ્ધિનું કદ કેટલું મોટું છે તે આ આંકડા પરથી જાણી શકાય છે. નાસા દ્વારા આયોજિત આ પરીક્ષામાં વિશ્વભરમાંથી કુલ ૬ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આટલી મોટી સંખ્યામાંથી, ભારતમાંથી પસંદગી પામનારી માહી ભટ્ટ એકમાત્ર વિદ્યાર્થિની બની છે. લાખોની ભીડમાં પોતાની આગવી ઓળખ ઊભી કરીને તેણે સાબિત કર્યું છે કે ગુજરાતની દીકરીઓ વિશ્વના ફલક પર પણ શ્રેષ્ઠ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...