Wednesday, March 4, 2026

અમદાવાદમાં આ વિસ્તારોમાં 300 કરોડના ખર્ચે નખાશે નવી પાણીની પાઈપલાઈન, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર અને ઈન્દોરમાં દૂષીત પાણીના કારણે ફાટી નીકળેલા રોગચાળાને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. જેમાં મ્યુનિ.એ નક્કી કરેલા 24 હોટ સ્પોટ વિસ્તારની પાણીની લાઈનો રૂ.300 કરોડના ખર્ચે બદલાશે. પાણીની શુદ્ધતા જાળવવા માટે પીવાના પાણી અને ડ્રેનેજ લાઈનો વચ્ચે પૂરતું અંતર રાખવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (પીવાના પાણીના પાઉચ/બોટલ) થકી ફેલાતાં રોગચાળાને ડામવા મ્યુનિસિપલ હેલ્થ અને ફૂડ વિભાગે પાણીન કેરબા તથા જગનો ધંધો કરનારાઓને ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ કરવા અને પાણીમાં ફરજિયાતપણે ક્લોરિન મિક્સ કરવા સૂચના આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ શહેરના 170 પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર સપ્લાયર્સ સાથે બેઠક યોજી હતી. એતંત્ર ટાઇફોઇડ, કમળો, ઝાડા-ઉલ્ટી અને કોલેરા જેવા પાણીજન્ય રોગોને રોકવા અને નિયંત્રિત કરવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમજ ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જાહેર આરોગ્ય સાથે ચેંડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાણીના સપ્લાયર્સને પાણી શુદ્ધ કરવા અને ક્લોરિનેશન કરવા માટે કહેવામાં આવ્યું છે. તેઓએ દરરોજ ક્લોરિન લેવલ તપાસવું પડશે અને સાધન-સામગ્રીની સફાઈ રાખવી પડશે. નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, શહેરમાં દરેક પાણી વિતરણ સ્ટેશન પર ક્લોરિન ટેસ્ટિંગ કરવામાં આવે જ છે, પરંતુ હવે ઈ-કોલાઈ બેક્ટેરિયાની તપાસ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.

આ વિસ્તારમાં આવે છે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ

બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ
સુંદરમનગર
સરસપુરની શારદાબેન હોસ્પિટલ આસપાસનો વિસ્તાર
બહેરામપુરામાં બોમ્બે હોટલની આસપાસનો વિસ્તાર
અમરાઈવાડીમાં શિવાનંદનગર
ખોડિયારનગર
રામ રહીમનો ટેકરો
દાણીલીમડા વિસ્તારમાં જીતુભગત કંપાઉન્ડ
મજૂર ગામ
પરીક્ષિતલાલ નગર
સાકળચંદ મુખીની ચાલી
મિલ્લતનગર
સૈયદવાડી
વટવાગામ તલાવડી
નારોલ ગામ
ગોમતીપુરમાં નુરભાઈ દોભીની ચાલી
જમાલપુરમાં કાચની મસ્જિદ
રામોલમાં સુરતી ખાવડી

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...