Monday, March 2, 2026

અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું, 12મી જાન્યુઆરીએ રિવરફ્રન્ટ રોડ રહેશે બંધ, જાણો ટ્રાફિક ડાયવર્ઝન

spot_img
Share

અમદાવાદ : આગામી 12મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર આવી રહ્યા છે. જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 12મીએ વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમનો રિવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો રોડ વાહનોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વાહનચાલકોને વૈકલ્પિક રોડની અવર જવર માટે ઉપયોગ કરવો પડશે.

કયો રસ્તો બંધ રહેશે?

જાહેરનામા મુજબ, 12 જાન્યુઆરી 2026ના રોજ સવારે 7:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી નીચે મુજબનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.

વાડજ સ્મશાનગૃહ કટ થી સાબરમતી રિવરફ્રન્ટ રોડ (પશ્ચિમ) થઈને આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન)

રિવરફ્રન્ટ રોડ બંધ હોવાથી વાહનચાલકો નીચેના માર્ગનો ઉપયોગ કરી શકશે:

વાહનચાલકો વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઈ, ઉસ્માનપુરા ચાર રસ્તા થઈ, ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ મધ્યભાગ થઈ, બાટા શો-રૂમ થઈ, ડી-લાઇટ ચાર રસ્તા થઈ અને ટાઉન હોલ થઈને પાલડી ચાર રસ્તા તરફ જઈ શકશે.

જોકે, આ પ્રતિબંધમાંથી કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, સરકારી ફરજ પરના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, આકસ્મિક સંજોગોમાં પસાર થતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...