Wednesday, January 14, 2026

અમદાવાદમાં ગેરકાયદે PG ચલાવનારા ચેતી જજો! આ વિસ્તારમાં 3 પીજીને કરાયા સીલ, પોલીસ, ફાયર અને સોસાયટીનું NOC ફરજિયાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પરમિશન વિના ધમધમી રહેલા PG સામે તંત્રએ લાખ આંખ કરી છે. મેમનગરમાં પરમિશન વિના અને સુરક્ષાના નિયમોનો ભંગ કરીને ચલાવતા PG સંચાલકો સામે મનપાના એરસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ગુરુકુળ વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ સોસાયટીમાં વગર મંજૂરીએ ધમધમતા પીજી એકમો પર તંત્રએ ત્રાટકીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સ્ટર્લીંગ સોસાયટી અને નીલમણિ સોસાયટીમાં તેમાં કુલ ત્રણ જેટલા મકાનોને પેંઇંગ ગેસ્ટ અને હોસ્ટેલ તરીકે ચલાવવામાં આવતી હતી. પોલીસી મુજબ તેઓને અલગ અલગ પુરાવાઓ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. બે નોટિસ આપવામાં આવી છતાં પણ તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. જેથી આજે 9 જાન્યુઆરીના રોજ ત્રણે મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા પેંઇંગ ગેસ્ટ – હોસ્ટેલ માટે પોલીસી બનાવવામાં આવેલી છે. અંતર્ગત સોસાયટી અને ફ્લેટમાં જે લોકો પેંઇંગ ગેસ્ટ – હોસ્ટેલ ચલાવતા હોય છે તેમને પોલીસ વેરિફિકેશન અને ફાયર એનઓસી તેમજ ખાસ કરીને સોસાયટીની એનઓસી હોવી ફરજીયાત છે.

પોલીસી મુજબ જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપવામાં આવે છે. પ્રથમ નોટિસમાં 15 દિવસનો સમય આપવામાં આવે છે જેમાં તેમને અલગ અલગ પુરાવાઓ રજૂ કરવાના હોય છે. જ્યારે બીજી નોટિસ આપવામાં આવે તેમાં ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે. જો આ પુરાવાઓ રજૂ ન કરવામાં આવે તો તેને સીલ કરવામાં આવે છે.

અમદાવાદમાં બહારથી ભણવા માટે કે પછી નોકરી માટે હજારો છોકરા છોકરીઓ આવતા હશે અને તેઓ PGમાં રહેતા હશે અને એટલે જ અમદાવાદમાં PGની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેવામાં AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ PG માલિકો સામે લાલ આંખ કરી છે અને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...