27.9 C
Gujarat
Thursday, October 24, 2024

ચાંદલોડીયાની કલંકરૂપ ઘટના : ત્યજી દીધેલું નવજાત બાળક મળ્યું, સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયું

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભ્રુણ ત્યજી દેવાની અને નવજાત બાળકોને તરછોડવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં ચાંદલોડીયામાંથી ત્યજી દીધેલી હાલતમાં મળી આવેલું નવજાત બાળક મળતાં જ પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે. બાળકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ (Ambulance) મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલા પોલીસને માહિતી મળતાં જ પોલીસે સ્થળે પહોંચીને બાળકની સારવાર શરૂ કરાવી હતી. આ બાળક અસ્વસ્થ અને કુપોષિત હોવાથી તેની તબિયત નાજુક હતી. હાલમાં સોલા પોલીસે આ અંગે અજાણ્યા માતા પિતા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ માતા પિતાની ભાળ મેળવવા માટે પોલીસે CWG ના અધિકારીને સાથે રાખી પૂછપરછ શરૂ કરી છે.

પોલીસને મળી આવેલું બાળક ગુજરાતી ભાષા બોલતું હોવાથી સ્થાનિક વ્યક્તિએ જ બાળકને તરછોડ્યું હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે પોલીસે આસપાસના CCTV મેળવી નિર્દયી માતા પિતાની શોધખોળ હાથ ધરી છે. શહેરમાં ઘણા સમયથી બાળક કે ભ્રુણ ત્યજી દેવાની ઘટનાનો સિલસિલો શરૂ છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles