Monday, March 2, 2026

ઉત્તરાયણને લઈને રેલવેએ શહેરીજનોને પાટા ઉપર લગાવેલા હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રહેવા અપીલ

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ નિમિત્તે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેર જનતાને સુરક્ષાના કારણસર મહત્ત્વની તાકીદ કરી છે. ઉત્તરાયણ દરમિયાન લોકો ગાંડાઘેલા થઈને પતંગ ચગાવતા હોય છે, જેના કારણે અનેક વખત મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. જેથી લોકોને સાવચેતી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવી જોઈએ.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના તમામ સેક્શનમાં રેલવે લાઇન ઉપર 25,000 વોલ્ટ (25 કિલોવોલ્ટ)ના ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) હાઇ-વોલ્ટેજ તાર પસાર થતા હોય છે. ઘણીવાર જોવા મળે છે કે પતંગ ઉડાવતી વખતે દોરી આ તારાઓમાં ફસાઈ જાય છે. કેટલીક દોરીમાં ધાતુના અંશ અથવા ભેજ હોવાના કારણે તેમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે, જેના કારણે કરંટ નીચે સુધી પહોંચી શકે છે, જેનાથી મોટી જાનહાનિ ક્યારેક થઈ શકે છે, તેથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

દોરીમાં ધાતુના અંશ અથવા ભેજ હોવાના કારણે હાઇ-વોલ્ટેજ તાર પતંગ ઉડાવનાર વ્યક્તિઓ, રેલવે ટ્રેકની નજીકથી પસાર થનારા નાગરિકો તથા ટ્રેક પર કાર્યરત રેલવે કર્મચારીઓ માટે પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જેથી પશ્ચિમ રેલવે દ્વારા લોકોને સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે અપીલ પણ કરવામાં આવી છે.

અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાની વાત કરવામાં આવે તો, અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત રેલવે પાટા આસપાસ રહેતા નાગરિકોને કાઉન્સેલિંગ દ્વારા જરૂરી સાવચેતીઓ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

પોતે સાવચેત રહો અને લોકોને પણ જાગૃત કરો
રેલવે પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, લોકો પહેલા જાતે સાવચેત રહે અને બાદમાં અન્ય લોકોને પણ આ માટે જાગૃત કરે, જેથી ઉત્તરાયણ પર્વ સુરક્ષિત અને આનંદમય રીતે ઉજવી શકાય. રેલવે વિભાગે કહ્યું કે, તમારી સાવચેતી માત્ર તમારી જ સુરક્ષા નહીં, પરંતુ અન્યના જીવનની પણ રક્ષા કરે છે. જેથી રેલવે દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અને અપીલોનું ખાસ પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેર કરાયેલ મુખ્ય સૂચનાઓ અને અપીલ
પાટાથી દૂર રહો: સુરક્ષા અને કાયદાની દૃષ્ટિએ રેલવે ટ્રેકની આસપાસ પતંગ ન ઉડાવો.
હાઇ-વોલ્ટેજ તારને સ્પર્શ ન કરો: જો પતંગ અથવા દોરી ઓવરહેડ તારામાં ફસાઈ જાય તો તેને કાઢવા માટે કોઈપણ પ્રકારની છડી, લાકડી કે સાધનનો ઉપયોગ ન કરો.

બાળકોની સુરક્ષા પર ખાસ ધ્યાન આપો:
માતાપિતાએ ખાતરી કરવી જોઈએ કે બાળકો પતંગ પકડવાના લાલચમાં રેલવે ટ્રેક તરફ ન જાય.
રેલવે કર્મચારીઓની સુરક્ષા: ઓવરહેડ તારામાં ફસાયેલી દોરી ટ્રેક પર કાર્યરત રેલવે કર્મચારીઓ માટે પણ ગંભીર જોખમ ઉભું કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...