Wednesday, January 14, 2026

અમદાવાદ કોપોરેશનને વ્યાજ માફીની યોજના ફળી, માત્ર 9 દિવસમાં 34 કરોડની આવક, માર્ચ મહિના સુધી યોજનાનો લાભ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી જાહેર કરાયેલી ‘વ્યાજ માફી યોજના’ને શહેરના નાગરિકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. મળતી માહિતી મુજબ જાહેરાતના પ્રથમ તબક્કામાં જ 34 કરોડ જેટલી માતબર રકમની આવક થઈ છે.

અમદાવાદ શહેરના વિસ્તરણ બાદ પ્રોપર્ટી ટેકસની આવક વધી છે. જોકે ગત વર્ષે પ્રોપર્ટી ટેકસની કુલ આવક 1745. 61 કરોડ નોંધાઇ હતી. તેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં 9મી જાન્યુઆરી સુધી વિવિધ કારણોસર ટેકસની આવક 1398.68 કરોડ જેટલી થવા પામી છે.જોકે ટેક્સ વસૂલાત માટે કોઇ રાહત આપ્યા વગર સીલીંગ અને જપ્તી જેવા અત્યંત કડક પગલાં ભરવાથી વિવાદ વકરે તેવી સંભાવનાને ધ્યાને લઇ શાસક ભાજપે જાન્યુઆરી મહિનાથી બાકી પ્રોપર્ટી ટેકસ ઉપર ચઢેલાં વ્યાજની રકમમાં માફી આપવાની યોજના જાહેર કરી હતી.

કોર્પોરેશનના ટેકસ ખાતાએ પણ વ્યાજમાફી યોજનાનો લાભ લઇ બાકી ટેકસ ભરપાઇ કરવા માટે હજારો કોમર્શિયલ મિલકતધારકોને જાણકારી આપવાનુ શરૂ કરતાં નવ દિવસમાં જ 34 કરોડની આવક થવા પામી છે. ટેક્સની આવકમાં મોટાભાગે પશ્ચિમ ઝોન અગ્રેસર રહેતુ હોય છે, પરંતુ આ વખતે ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન અગ્રેસર રહ્યાં છે. જ્યારે સૌથી ઓછી આવક હાલ તો ઉત્તર ઝોન ટેક્સ ખાતાની દેખાઇ રહી છે.

જો કે, ગત વર્ષ કરતાં આ ઘણી ઓછી આવક હોવાથી ઉત્તરાયણના તહેવાર બાદ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની ઝુંબેશ ઉગ્રતાથી હાથ ધરાશે તેમ જાણવા મળ્યુ હતું. મ્યુનિ.કમિશનર અને શાસક ભાજપે ગત વર્ષ કરતાં ઓછી આવક જોઇને ટેક્સ ખાતાને ગત વર્ષ કરતાં વધુ આવક મેળવવા માટે તાકીદ કરી હતી.

અમદાવાદ કોર્પોરેશનના ટેકસ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે, બાકી પ્રોપર્ટી ટેકસ વસૂલાત માટે છેલ્લા બે મહિનાથી કડક કાર્યવાહી કરવાની તૈયારી ચાલતી હતી, પરંતુ ચૂંટણીલક્ષી કામગીરીમાં મોટાભાગના સ્ટાફને ફાળવી દેવાયો હોવાથી ટેક્સ વસૂલાતની કોઇ કામગીરી થઇ શકી નથી તે બાબત કમિશનરને ધ્યાને લાવવામાં આવી હતી.

જોકે કમિશનરે જાન્યુઆરીમાં શરૂ કરાયેલી વ્યાજમાફી યોજનાનો લાભ લેવા આગળ ન આવે તેવા કોમર્શિયલ મિલકતધારકો સામે ઉત્તરાયણ બાદ મિલકત સીલ અને મિલકત ટાંચમાં લઇ જપ્તી કરવા તેમજ બોજા નોંધ કરાવવા જેવા કડક પગલા શરૂ કરવાની સૂચના આપી દીધી છે. તેમ છતાં ટેકસ ખાતાએ વ્યાજ માફી યોજનાના અમલીકરણ સાથે સીલ ઝુંબેશ શરૂ કરી દીધી છે, પરંતુ એકદમ કડક કાર્યવાહી ટાળી છે. તેના કારણે અત્યાર સુધીમાં સાત ઝોનમાં ફક્ત 500 જેટલી કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. પરંતુ ઉત્તરાયણ પછી તો દરેક ઝોનમાં રોજના 500 થી 1000 મિલકતને સીલ મારીને ગત વર્ષ કરતાં વધુ આવક લાવવાના પ્રયાસ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે AMC દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક (કોમર્શિયલ) બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 85 ટકા, ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી મળશે. દર મહિને વ્યાજ માફીમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વહેલી ચૂકવણી કરનારને વધુ લાભ મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...