Tuesday, March 3, 2026

અમદાવાદ કોપોરેશનને વ્યાજ માફીની યોજના ફળી, માત્ર 9 દિવસમાં 34 કરોડની આવક, માર્ચ મહિના સુધી યોજનાનો લાભ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી જાહેર કરાયેલી ‘વ્યાજ માફી યોજના’ને શહેરના નાગરિકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. મળતી માહિતી મુજબ જાહેરાતના પ્રથમ તબક્કામાં જ 34 કરોડ જેટલી માતબર રકમની આવક થઈ છે.

અમદાવાદ શહેરના વિસ્તરણ બાદ પ્રોપર્ટી ટેકસની આવક વધી છે. જોકે ગત વર્ષે પ્રોપર્ટી ટેકસની કુલ આવક 1745. 61 કરોડ નોંધાઇ હતી. તેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં 9મી જાન્યુઆરી સુધી વિવિધ કારણોસર ટેકસની આવક 1398.68 કરોડ જેટલી થવા પામી છે.જોકે ટેક્સ વસૂલાત માટે કોઇ રાહત આપ્યા વગર સીલીંગ અને જપ્તી જેવા અત્યંત કડક પગલાં ભરવાથી વિવાદ વકરે તેવી સંભાવનાને ધ્યાને લઇ શાસક ભાજપે જાન્યુઆરી મહિનાથી બાકી પ્રોપર્ટી ટેકસ ઉપર ચઢેલાં વ્યાજની રકમમાં માફી આપવાની યોજના જાહેર કરી હતી.

કોર્પોરેશનના ટેકસ ખાતાએ પણ વ્યાજમાફી યોજનાનો લાભ લઇ બાકી ટેકસ ભરપાઇ કરવા માટે હજારો કોમર્શિયલ મિલકતધારકોને જાણકારી આપવાનુ શરૂ કરતાં નવ દિવસમાં જ 34 કરોડની આવક થવા પામી છે. ટેક્સની આવકમાં મોટાભાગે પશ્ચિમ ઝોન અગ્રેસર રહેતુ હોય છે, પરંતુ આ વખતે ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન અગ્રેસર રહ્યાં છે. જ્યારે સૌથી ઓછી આવક હાલ તો ઉત્તર ઝોન ટેક્સ ખાતાની દેખાઇ રહી છે.

જો કે, ગત વર્ષ કરતાં આ ઘણી ઓછી આવક હોવાથી ઉત્તરાયણના તહેવાર બાદ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની ઝુંબેશ ઉગ્રતાથી હાથ ધરાશે તેમ જાણવા મળ્યુ હતું. મ્યુનિ.કમિશનર અને શાસક ભાજપે ગત વર્ષ કરતાં ઓછી આવક જોઇને ટેક્સ ખાતાને ગત વર્ષ કરતાં વધુ આવક મેળવવા માટે તાકીદ કરી હતી.

અમદાવાદ કોર્પોરેશનના ટેકસ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે, બાકી પ્રોપર્ટી ટેકસ વસૂલાત માટે છેલ્લા બે મહિનાથી કડક કાર્યવાહી કરવાની તૈયારી ચાલતી હતી, પરંતુ ચૂંટણીલક્ષી કામગીરીમાં મોટાભાગના સ્ટાફને ફાળવી દેવાયો હોવાથી ટેક્સ વસૂલાતની કોઇ કામગીરી થઇ શકી નથી તે બાબત કમિશનરને ધ્યાને લાવવામાં આવી હતી.

જોકે કમિશનરે જાન્યુઆરીમાં શરૂ કરાયેલી વ્યાજમાફી યોજનાનો લાભ લેવા આગળ ન આવે તેવા કોમર્શિયલ મિલકતધારકો સામે ઉત્તરાયણ બાદ મિલકત સીલ અને મિલકત ટાંચમાં લઇ જપ્તી કરવા તેમજ બોજા નોંધ કરાવવા જેવા કડક પગલા શરૂ કરવાની સૂચના આપી દીધી છે. તેમ છતાં ટેકસ ખાતાએ વ્યાજ માફી યોજનાના અમલીકરણ સાથે સીલ ઝુંબેશ શરૂ કરી દીધી છે, પરંતુ એકદમ કડક કાર્યવાહી ટાળી છે. તેના કારણે અત્યાર સુધીમાં સાત ઝોનમાં ફક્ત 500 જેટલી કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. પરંતુ ઉત્તરાયણ પછી તો દરેક ઝોનમાં રોજના 500 થી 1000 મિલકતને સીલ મારીને ગત વર્ષ કરતાં વધુ આવક લાવવાના પ્રયાસ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે AMC દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક (કોમર્શિયલ) બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 85 ટકા, ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી મળશે. દર મહિને વ્યાજ માફીમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વહેલી ચૂકવણી કરનારને વધુ લાભ મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...