Tuesday, March 3, 2026

અમદાવાદીઓ ! મેટ્રોમાં મુસાફરી કરતા પહેલા જાણી લેજો, નવા કલર કોડ પ્રમાણે, બ્લુ, રેડ, યલો, વાયોલેટ લાઈનના રૂટ જાણો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે મેટ્રો હવે માત્ર મુસાફરીનું સાધન નહીં, પણ શહેરની જીવાદોરી બની ગઈ છે. મેટ્રોના નેટવર્કનો વ્યાપ વધવાની સાથે જ મુસાફરોની સુવિધા માટે તંત્ર દ્વારા એક મોટો અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી અમદાવાદ મેટ્રોના અલગ-અલગ રૂટને નવા 4 કલર કોડ આપવામાં આવ્યા છે, જેથી મુસાફરો મુંબઈ કે દિલ્હીની જેમ જ રંગના આધારે પોતાની ટ્રેન અને પ્લેટફોર્મ ઓળખી શકશે.

પ્રધાનમંત્રીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો (Metro)ટ્રેનને ફ્લેગ ઓફ કરી હતી. આ ઇવેન્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ અંતિમ 7.8 કિમીના સ્ટ્રેચમાં 7 નવા સ્ટેશનો ઉમેરાયા છે, જેમાં અક્ષરધામ, ઓલ્ડ સેક્રેટરિયેટ, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.

કઈ લાઈન કયા રૂટ પર દોડશે?
મેટ્રો સત્તામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ઓળખ મુજબ:
બ્લૂ લાઈન (Blue Line): પૂર્વથી પશ્ચિમને જોડતો વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો રૂટ હવે બ્લૂ લાઈન તરીકે ઓળખાશે.
રેડ લાઈન (Red Line): ઉત્તરથી દક્ષિણને જોડતો APMC (વાસણા) થી મોટેરા સ્ટેડિયમ સુધીનો કોરિડોર હવે રેડ લાઈનથી ઓળખાશે.
યલો લાઈન (Yellow Line): નવા વિસ્તરણ હેઠળ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર (ગાંધીનગર) સુધીનો રૂટ હવે યલો લાઈન તરીકે ઓળખાશે.
વાયોલેટ લાઈન (Violet Line): જીએનએલયુ (GNLU) થી સ્પેશિયલ ગિફ્ટ સિટી (GIFT City) જતો રૂટ વાયોલેટ લાઈન તરીકે ઓળખાશે.

ભાડામાં રાહત અને મુસાફરીમાં સરળતા
નવા રૂટ શરૂ થવાની સાથે જ મુસાફરો માટે ભાડાના દર પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. હવે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની મુસાફરી માત્ર ₹40 માં પૂર્ણ કરી શકાશે. આ ફેરફારથી ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.

શા માટે આ ફેરફાર જરૂરી હતો?
જેમ જેમ મેટ્રોના ફેઝ-2 નું કામ આગળ વધી રહ્યું છે, તેમ મુસાફરોમાં કયો રૂટ ક્યાં જશે તેને લઈને ગૂંચવણ ન થાય તે માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરની ‘કલર કોડિંગ’ સિસ્ટમ અપનાવવામાં આવી છે. સ્ટેશન પરના સાઈનબોર્ડ, મેપ અને એનાઉન્સમેન્ટમાં પણ હવે આ રંગોનો ઉલ્લેખ કરવામાં આવશે, જેનાથી અભણ કે નવા મુસાફરો પણ સરળતાથી મુસાફરી કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...