Saturday, September 19, 2026

અમદાવાદીઓ ! મેટ્રોમાં મુસાફરી કરતા પહેલા જાણી લેજો, નવા કલર કોડ પ્રમાણે, બ્લુ, રેડ, યલો, વાયોલેટ લાઈનના રૂટ જાણો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે મેટ્રો હવે માત્ર મુસાફરીનું સાધન નહીં, પણ શહેરની જીવાદોરી બની ગઈ છે. મેટ્રોના નેટવર્કનો વ્યાપ વધવાની સાથે જ મુસાફરોની સુવિધા માટે તંત્ર દ્વારા એક મોટો અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી અમદાવાદ મેટ્રોના અલગ-અલગ રૂટને નવા 4 કલર કોડ આપવામાં આવ્યા છે, જેથી મુસાફરો મુંબઈ કે દિલ્હીની જેમ જ રંગના આધારે પોતાની ટ્રેન અને પ્લેટફોર્મ ઓળખી શકશે.

પ્રધાનમંત્રીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો (Metro)ટ્રેનને ફ્લેગ ઓફ કરી હતી. આ ઇવેન્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ અંતિમ 7.8 કિમીના સ્ટ્રેચમાં 7 નવા સ્ટેશનો ઉમેરાયા છે, જેમાં અક્ષરધામ, ઓલ્ડ સેક્રેટરિયેટ, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.

કઈ લાઈન કયા રૂટ પર દોડશે?
મેટ્રો સત્તામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ઓળખ મુજબ:
બ્લૂ લાઈન (Blue Line): પૂર્વથી પશ્ચિમને જોડતો વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો રૂટ હવે બ્લૂ લાઈન તરીકે ઓળખાશે.
રેડ લાઈન (Red Line): ઉત્તરથી દક્ષિણને જોડતો APMC (વાસણા) થી મોટેરા સ્ટેડિયમ સુધીનો કોરિડોર હવે રેડ લાઈનથી ઓળખાશે.
યલો લાઈન (Yellow Line): નવા વિસ્તરણ હેઠળ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર (ગાંધીનગર) સુધીનો રૂટ હવે યલો લાઈન તરીકે ઓળખાશે.
વાયોલેટ લાઈન (Violet Line): જીએનએલયુ (GNLU) થી સ્પેશિયલ ગિફ્ટ સિટી (GIFT City) જતો રૂટ વાયોલેટ લાઈન તરીકે ઓળખાશે.

ભાડામાં રાહત અને મુસાફરીમાં સરળતા
નવા રૂટ શરૂ થવાની સાથે જ મુસાફરો માટે ભાડાના દર પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. હવે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની મુસાફરી માત્ર ₹40 માં પૂર્ણ કરી શકાશે. આ ફેરફારથી ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.

શા માટે આ ફેરફાર જરૂરી હતો?
જેમ જેમ મેટ્રોના ફેઝ-2 નું કામ આગળ વધી રહ્યું છે, તેમ મુસાફરોમાં કયો રૂટ ક્યાં જશે તેને લઈને ગૂંચવણ ન થાય તે માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરની ‘કલર કોડિંગ’ સિસ્ટમ અપનાવવામાં આવી છે. સ્ટેશન પરના સાઈનબોર્ડ, મેપ અને એનાઉન્સમેન્ટમાં પણ હવે આ રંગોનો ઉલ્લેખ કરવામાં આવશે, જેનાથી અભણ કે નવા મુસાફરો પણ સરળતાથી મુસાફરી કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...