Thursday, April 23, 2026

અમદાવાદીઓ ! મેટ્રોમાં મુસાફરી કરતા પહેલા જાણી લેજો, નવા કલર કોડ પ્રમાણે, બ્લુ, રેડ, યલો, વાયોલેટ લાઈનના રૂટ જાણો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે મેટ્રો હવે માત્ર મુસાફરીનું સાધન નહીં, પણ શહેરની જીવાદોરી બની ગઈ છે. મેટ્રોના નેટવર્કનો વ્યાપ વધવાની સાથે જ મુસાફરોની સુવિધા માટે તંત્ર દ્વારા એક મોટો અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી અમદાવાદ મેટ્રોના અલગ-અલગ રૂટને નવા 4 કલર કોડ આપવામાં આવ્યા છે, જેથી મુસાફરો મુંબઈ કે દિલ્હીની જેમ જ રંગના આધારે પોતાની ટ્રેન અને પ્લેટફોર્મ ઓળખી શકશે.

પ્રધાનમંત્રીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો (Metro)ટ્રેનને ફ્લેગ ઓફ કરી હતી. આ ઇવેન્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ અંતિમ 7.8 કિમીના સ્ટ્રેચમાં 7 નવા સ્ટેશનો ઉમેરાયા છે, જેમાં અક્ષરધામ, ઓલ્ડ સેક્રેટરિયેટ, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.

કઈ લાઈન કયા રૂટ પર દોડશે?
મેટ્રો સત્તામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ઓળખ મુજબ:
બ્લૂ લાઈન (Blue Line): પૂર્વથી પશ્ચિમને જોડતો વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો રૂટ હવે બ્લૂ લાઈન તરીકે ઓળખાશે.
રેડ લાઈન (Red Line): ઉત્તરથી દક્ષિણને જોડતો APMC (વાસણા) થી મોટેરા સ્ટેડિયમ સુધીનો કોરિડોર હવે રેડ લાઈનથી ઓળખાશે.
યલો લાઈન (Yellow Line): નવા વિસ્તરણ હેઠળ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર (ગાંધીનગર) સુધીનો રૂટ હવે યલો લાઈન તરીકે ઓળખાશે.
વાયોલેટ લાઈન (Violet Line): જીએનએલયુ (GNLU) થી સ્પેશિયલ ગિફ્ટ સિટી (GIFT City) જતો રૂટ વાયોલેટ લાઈન તરીકે ઓળખાશે.

ભાડામાં રાહત અને મુસાફરીમાં સરળતા
નવા રૂટ શરૂ થવાની સાથે જ મુસાફરો માટે ભાડાના દર પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. હવે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની મુસાફરી માત્ર ₹40 માં પૂર્ણ કરી શકાશે. આ ફેરફારથી ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.

શા માટે આ ફેરફાર જરૂરી હતો?
જેમ જેમ મેટ્રોના ફેઝ-2 નું કામ આગળ વધી રહ્યું છે, તેમ મુસાફરોમાં કયો રૂટ ક્યાં જશે તેને લઈને ગૂંચવણ ન થાય તે માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરની ‘કલર કોડિંગ’ સિસ્ટમ અપનાવવામાં આવી છે. સ્ટેશન પરના સાઈનબોર્ડ, મેપ અને એનાઉન્સમેન્ટમાં પણ હવે આ રંગોનો ઉલ્લેખ કરવામાં આવશે, જેનાથી અભણ કે નવા મુસાફરો પણ સરળતાથી મુસાફરી કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...