Tuesday, March 3, 2026

ઉત્તરાયણના પર્વને લઇ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકરો સાથે પતંગબાજીનો માણ્યો આનંદ

spot_img
Share

અમદાવાદ : અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો અને પરિવારજનો સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. અમિત શાહે નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યકરો સાથે ધાબે પતંગ ઉડાવી. હર્ષોલ્લાસ સાથે તેમણે ઉત્તરાયણનો પર્વ મનાવ્યો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના વતન અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી હતી દિવસની શરૂઆત અમિત શાહે ભગવાન જગન્નાથના દર્શનથી કરી હતી. તેમણે મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના કરી અને ગૌમાતાને ઘાસચારો ખવડાવી આશીર્વાદ લીધા હતા. નારણપુરા વિસ્તારમાં અર્જુન ગ્રીન્સના ધાબે પતંગ ચગાવવા પહોંચ્યા, ત્યારે આસપાસના ધાબા પરથી લોકોએ ‘ઓ… અમિતકાકા…’ ની બૂમો પાડી તેમનું સ્વાગત કર્યું હતું.ઉતરાયણની ઉજવણીમાં અમિત શાહના ધર્મપત્ની અને તેમના પુત્ર જય શાહ પણ હાજર રહ્યા હતા.

પતંગબાજી બાદ તેમણે ગુજરાતી પરંપરા મુજબ બોર અને જામફળની જયાફત માણી ઉત્તરાયણનો અસલી આનંદ લીધો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની પરંપરા જાળવી રાખતા ઉત્તરાયણના પર્વે પોતાના માદરે વતન ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પહોંચતા જ સ્થાનિક નાગરિકો અને ભાજપના કાર્યકરોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ઐતિહાસિક ઓળખ સમાન દરિયાપુર વિસ્તારની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે દરિયાપુરના વાડીગામમાં સ્થાનિક રહેવાસીઓ સાથે ધાબા પરથી પતંગ ખેંચીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. પોળના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ પતંગની ડોર ખેંચી પેચ લડાવ્યા ત્યારે લોકોએ ભારે ચિચિયારીઓ પાડી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...