Thursday, February 19, 2026

AMCનો મહત્વનો નિર્ણય, હવે પાર્કિંગને લઈને આવા કોમર્શિયલ એકમ વિરૂદ્ધ લેવાશે એક્શન, જાણો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા વધતા AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોમર્શિયલ કોમ્પેક્સ દ્વારા વાહનો કોમ્પલેક્ષમાં પાર્ક નહીં કરવા દેવામાં આવે તો તેમની સામે કાર્યવાહી થશે. શહેરમાં કોમ્પલેક્ષમાં પાર્કિંગ હોવા છતાં તેનો ઉપયોગ નથી થતો પરિણામે વાહન ચાલકો તેમના વાહન રોડ પર પાર્ક કરે છે જેના કારણે દબાણ ઊભું થતા ટ્રાફિકની સમસ્યા વધી છે. AMC દ્વારા શહેરના 60 પ્લોટમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રહલાદનગર અને સિંધુ ભવન મલ્ટી લેવલ પાર્કિંગને પણ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જે રીતે મહાનગરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. મહાનગર પાલિકાના સિંધુભવન મલ્ટી લેવલ પાર્કિંગ, પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કીંગ, તદ્ઉપરાંત દાણાપીઠ ખાતેનું મલ્ટી લેવલ પાર્કિંગ આ બધા પાર્કિંગ જનતા માટે ખુલ્લા મુકેલા છે. તેમજ ટૂંક સમયમાં મધ્ય ઝોન દાણાપીઠમાં પણ પાર્કિંગ ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે જે 60 જેટલા પ્લોટ આપેલા છે તેમાં પણ 20 જેટલા પ્લોટનો આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે.

AMC દ્વારા સૌથી મહત્વનો નિર્ણય એવા કોમ્પ્લેક્સ અને મિલકતો સામે લેવાયો છે, જેમાં જે કોમ્પલેક્ષમાં બેઝમેન્ટ કે નિર્ધારિત જગ્યામાં પાર્કિંગની સુવિધા હોવા છતાં વાહનચાલકોને ત્યાં વાહન રાખવા દેવામાં આવતા નથી. AMC એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે:જો કોઈ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા હોવા છતાં તેનો ઉપયોગ અન્ય હેતુ માટે થતો હશે અથવા વાહનચાલકોને રોકવામાં આવશે, તો તેવી મિલકતોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે.જેથી રોડ પર એકપણ વાહન રહે નહી અને સુરક્ષિત જગ્યાએ વાહનનું પાર્કિંગ થાય.

આ ઉપરાંત રસ્તા પર થતા પાર્કિંગને અટકાવવા ટ્રાફિક પોલીસ સાથે સંકલન સાધીને દંડની પ્રક્રિયા વધુ સખત કરાશે. તંત્રની આ કડક કાર્યવાહીથી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે, જોકે સામે પક્ષે નાના-મોટા વેપારીઓમાં આ ઝુંબેશને લઈને ફફડાટ પણ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...