Tuesday, March 3, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અનોખી સિદ્ધિ, 1 વર્ષમાં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી OPD સેવા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, એક વર્ષના ટૂંકા ગાળામાં 11 લાખથી વધુ OPDના કેસ નોંધાવા પામ્યા છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો સારવાર માટે સિવિલ પર નિર્ભર છે.

આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતા સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2025માં કુલ 11,63,740 દર્દીઓએ ઓપીડી (OPD) સેવાઓનો લાભ લીધો છે, જ્યારે 1,04,840 દર્દીઓએ ઇન્ડોર (IPD) દર્દી તરીકે દાખલ થઈને સારવાર મેળવી છે.“સિવિલ હોસ્પિટલ માત્ર આંકડાઓથી નહીં, પણ લાખો દર્દીઓના સ્મિત અને સંતોષથી ઓળખાય છે. અમારો ઉદ્દેશ્ય છે કે છેવાડાના માનવીને પણ અદ્યતન ટેકનોલોજી અને માનવતાભર્યા અભિગમ સાથે શ્રેષ્ઠ સારવાર મળે. વર્ષ 2025ના આ આંકડા અમારા તબીબો અને સ્ટાફની રાત-દિવસની મહેનત અને લોકોના અતૂટ વિશ્વાસનું પરિણામ છે.”

વિભાગવાર સારવારના આંકડા (વર્ષ 2025):

વર્ષ 2025 દરમિયાન સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં લાખો દર્દીઓએ સારવાર મેળવી છે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

મેડીસીન વિભાગ: હોસ્પિટલના સૌથી વ્યસ્ત ગણાતા આ વિભાગમાં 1,52,454 દર્દીઓએ ઓપીડી સેવા લીધી હતી અને 28,865 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી.

ઓર્થોપેડીક વિભાગ: હાડકાના રોગોની સારવાર માટે 1,09,837 દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા, જ્યારે 8,656 દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.

રેડિયોલોજી વિભાગ : રેડિયોલોજી વિભાગ દ્વારા 3,98,710 એક્સ-રે, 24,292 સીટી સ્કેન અને 11,910 એમઆરઆઈ તપાસ કરવામાં આવી છે.

ડર્મેટોલોજી (સ્કીન) વિભાગ: ચામડીના રોગોની સારવાર માટે વર્ષ દરમિયાન કુલ 1,08,667 દર્દીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો હતો.

પીડીયાટ્રીક વિભાગ: બાળકોના આરોગ્ય માટે આ વિભાગમાં 84,772 ઓપીડી અને 18,328 જેટલા બાળકોને દાખલ કરી સારવાર અપાઈ હતી.

સ્ત્રીરોગ અને પ્રસુતા વિભાગ: આ વિભાગમાં 82,231 દર્દીઓએ ઓપીડીમાં નિદાન કરાવ્યું હતું અને 14,120 મહિલા દર્દીઓને ઇન્ડોર સુવિધા હેઠળ સારવાર મળી હતી.

સર્જરી વિભાગ: શસ્ત્રક્રિયા માટે 55,707 દર્દીઓએ ઓપીડીનો સંપર્ક કર્યો હતો અને 18,329 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

સુપર સ્પેશિયાલિટી વિભાગોની કામગીરી:

પીડીયાટ્રીક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરોસર્જરી તેમજ ન્યુરો મેડિસિન જેવા વિશિષ્ટ વિભાગોમાં પણ સેવાનું ઉમદા કાર્ય થયું છે.

અદ્યતન સુવિધાઓ, અનુભવી તબીબો અને સમર્પિત પેરામેડિકલ સ્ટાફ સાથે ટેકનોલોજીનો સમન્વય કરી સિવિલ હોસ્પિટલ આજે ‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરી રહી છે. સારવારના આ આંકડા સિવિલ હોસ્પિટલની વિશાળ ક્ષમતા અને દર્દીઓ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...