Tuesday, March 3, 2026

સાબરમતી રેલવે સ્ટેશનનો નવો અવતાર, 20 જાન્યુઆરીથી એન્ટ્રી-એક્ઝિટના નિયમો બદલાશે, જાણો નવો રૂટ પ્લાન

spot_img
Share

અમદાવાદ : સાબરમતી રેલવે સ્ટેશન પર પુનર્વિકાસની કામગીરી અત્યંત ઝડપથી ચાલી રહી છે, જેમાં ધર્મનગર સાઈડના નવા સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. અન્ય વિકાસકાર્યોને ગતિ આપવા અને મુસાફરોની સુવિધા જાળવી રાખવા માટે રેલવે તંત્ર દ્વારા આગામી 20 જાન્યુઆરી 2026 થી 15 એપ્રિલ 2026 સુધી સ્ટેશન પર અવરજવર માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.

1. પ્રસ્થાન કરનાર મુસાફરો માટે પ્રવેશ અને નિકાસ વ્યવસ્થા
•પ્રવેશ દ્વાર (Entry Gate): મુસાફરોના વાહનોનો પ્રવેશ MMTS બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) નજીક (ગ્રીન લાઇન) થી કરવામાં આવશે.
•મુસાફરો નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં પ્રવેશ કરી લિફ્ટ, એસ્કેલેટર અને સીડીઓ દ્વારા સેકન્ડ ફ્લોર પરથી તમામ પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે.
•મુસાફરોને ડ્રોપ કરવા આવેલા વાહનો વર્તમાન પ્રવેશ દ્વાર મારફતે બહાર નીકળી શકશે.

2. આગમન કરનાર મુસાફરો માટે નિકાસ અને પિક-અપ વ્યવસ્થા
• નિકાસ દ્વાર (Exit Gate): મહેસાણા સાઇડ ફૂટ ઓવર બ્રિજ નજીક (પર્પલ લાઇન)થી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
• આ જ સ્થળે મુસાફરો માટે પિક-અપ ઝોન પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

3. પાર્કિંગ સુવિધા
• મુસાફરોની સુવિધા માટે નિકાસ દ્વાર નજીક બે સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

4. પ્લેટફોર્મ કનેક્ટિવિટી
• તમામ પ્લેટફોર્મ (PF-1 થી PF-7) બે ફૂટ ઓવર બ્રિજ દ્વારા પરસ્પર જોડાયેલા છે અને મહેસાણા સાઇડ ફૂટ ઓવર બ્રિજ પર તમામ પ્લેટફોર્મ પર મુસાફરો માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે.

5. નવી નિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં મુસાફર સુવિધાઓ
• ગ્રાઉન્ડ ફ્લોર(Ground Floor): અનારક્ષિત ટિકિટ બુકિંગ (UTS)
•પ્રથમ માળ (First Floor): આરક્ષિત ટિકિટ બુકિંગ (PRS)
• દ્વિતીય માળ (Second Floor): પ્રતીક્ષાલય
તમામ મુસાફરોને વિનંતી છે કે તેઓ નવી ટ્રાફિક વ્યવસ્થા, સૂચક ચિહ્નો તેમજ રેલવે, આરપીએફ અને રેલકર્મીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...