Tuesday, March 3, 2026

ન્યૂ રાણીપમાં અસામાજિક તત્વોનો આતંક, ઉધાર આપવાની મનાઈ કરતા પાન પાર્લરમાં કરી તોડફોડ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં માત્ર ‘ઉધાર’ આપવાની ના પાડતા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પાન પાર્લર પર બે શખ્સો ઉધાર વસ્તુઓ લેવા માટે આવ્યા હતા. જ્યારે પાર્લરના માલિકે ઉધાર આપવાની ના પાડી, ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગઈ પાર્લરમાં તોડફોડ કરી દુકાન માલિક અને તેમના દીકરા પર જીવલેણ હુમલો કરી દીધો હતો.સાબરમતી પોલીસે આ અંગે બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરાઇ છે. અન્યને શોધવાની તપાસ તજવીજ ચાલુ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ ધીરજ પાન પાર્લર પર બે સ્થાનિક ઈસમો પાન-મસાલા લેવા માટે આવ્યા હતા. આરોપીઓએ પાર્લર સંચાલક પાસે ઉધારમાં સામાનની માંગણી કરી હતી. જોકે, પાર્લરના માલિકે રોકડેથી વ્યવહાર કરવાનું કહી ઉધાર આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. આ સામાન્ય બાબતથી ઉશ્કેરાયેલા બંને ઈસમોએ વેપારી સાથે બોલાચાલી શરૂ કરી હતી અને જોતજોતામાં મામલો બિચક્યો હતો.અને પાર્લરમાં રાખેલી વસ્તુઓની તોડફોડ શરૂ કરી દીધી. હુમલાખોરો એટલા બેફામ બની ગયા કે તેમણે દુકાન માલિક અને તેમના દીકરા પર જીવલેણ હુમલો કરી દીધો, જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઘટના બાદ ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક સાબરમતી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને વેપારીની ફરિયાદને આધારે બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સાબરમતી પોલીસે સીસીટીવીમાં દેખાતા શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે અને એક મુખ્ય આરોપીની ધરપકડ કરાઇ છે. અન્યને શોધવાની તપાસ તજવીજ ચાલુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...